વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ-જાગરણ રેલી યોજાય...

યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે

New Update
વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ-જાગરણ રેલી યોજાય...

યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે સોમનાથ જિલ્લાના વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ તેમજ યોગ અને જાગરણ રેલી યોજાય હતી.

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ૨૧ જૂનના રોજ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આ ઉજવણી અન્વયે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સવારે ૬થી ૮ કલાક દરમિયાન યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમન યોગ પ્રોટોકોલ તાલીમમાં યોગ એક્સપર્ટ્સે ભાગ લેનાર તમામને વિવિધ યોગના ફાયદાઓ જણાવી અને પદ્ધતિસર યોગ કરાવ્યા હતા, અને અલગ અલગ શારીરિક વ્યાધિમાં વિવિધ યોગ કઈ રીતે ફાયદાકારક નિવડે છે, તે અંગે વિસ્તારમાં માહિતી પણ આપી હતી. યોગ એક્સપર્ટ દુર્ગાપ્રસાદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને યોગબોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા”ના સૂત્રને અનુસરી યોગ અને જાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને વિવિધ યોગાસનો કર્યા હતા. આ ઉજવણી અન્વયે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી યોગયાત્રાનું પ્રસ્થાન કરી ટાવર ચોકથી આંબેડકર ચોક થઈ ફરી પરત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પહોંચી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.

Latest Stories