ક્યાક તમે પણ આઇસ્ક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા ને? જાણો બંને વચ્ચે શું છે તફાવત

ઉનાળો શરૂ થતાં જ લોકો આઇસ્ક્રીમ પર તૂટી પડે છે. પણ શું તમે જાણો છો કે જેને તમે આઇસ્ક્રીમ સમજીને ખાવ છો તે હકીકતમાં આઇસ્ક્રીમ જ છે

New Update
ક્યાક તમે પણ  આઇસ્ક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ તો  નથી ખાઈ રહ્યા ને? જાણો બંને વચ્ચે શું છે તફાવત

ઉનાળો શરૂ થતાં જ લોકો આઇસ્ક્રીમ પર તૂટી પડે છે. પણ શું તમે જાણો છો કે જેને તમે આઇસ્ક્રીમ સમજીને ખાવ છો તે હકીકતમાં આઇસ્ક્રીમ જ છે કે પછી બીજુ કઈ? બજારમાં આઇસ્ક્રીમના નામે વેચાતી વધુ પડતી વસ્તુઓ ફ્રોઝન ડેઝર્ટ છે જો કે આને ખરીદતી વખતે તેના પેકેટને ધ્યાનથી વાંચો. તમને સમજાય જશે કે જેને તમે આઇસ્ક્રીમ સમજી સહ્યા છો તેના પર ફ્રોઝન ડેઝર્ટ લખેલું છે.

ફ્રોઝન ડેઝર્ટ શું હોય છે?

તમે જેટલી પણ આઇસ્ક્રીમ ખાવ છો તેમાથી મોટા ભાગના ફ્રોઝન ડેઝર્ટ હોય છે. ફ્રોઝન ડેઝર્ટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઑ થઈ શકે છે. જે રીતે આઇસક્રીમને બનાવવામાં શુધ્ધ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, ફ્રોઝન ડેઝર્ટને બનાવવામાં દૂધનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ આમાં ઘણું બધુ પામઓઇલ હોય છે. આ પામ ઓઇલ તમારા બેસ કોલેસ્ટ્રોલને વધારે છે. જ્યારે પણ તમે કોઈ આઇસ્ક્રીમ ખરીદશો અને જે હકીકતમાં ફ્રોઝન ડેઝર્ટ હશે તો તેના પેકેટ પર લખેલું હશે તેનાથી તમે જાણી શકશો કે જેમાં 10.2 વેજીટેબલ ઓઇલ કે વેજીટેબલ પ્રોટીન હોય છે. આ સાથે જ ફ્રોઝન ડેઝર્ટમાં વેજીટેબલ સોયા પ્રોટીન, લિક્વિડ ગ્લુકોઝ, સુગર સિરપ અને આ સાથે જ ઘણા સેન્થેટિક ફૂડ કલર જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે.

અસલી આઇસ્ક્રીમ કેવી હોય છે?

અસલી આઇસ્ક્રીમ કુલ્ફીને કહેવામા આવે છે. જેમાં કોઈ સેન્થેટિક સુગર સિરપ હોતું નથી. કોઈ સેન્થેટિક પામ ઓઇલ કે સેન્થેટિક ફૂડ કલર હોતો નથી. શુધ્ધ આઇસક્રીમમાં ફૂલ ફેટ મિલ્ક એટલે કે શુધ્ધ દૂધ, ઇલાઇચીનો પાવડર અને ખાંડ હોય છે. આ કારણ હોય છે કે તે દેખાવમાં ફ્રોઝન ડેઝર્ટ જેવુ સુંદર નથી લાગતું. જોકે આ તમારા સ્વાસ્થ્ય માટે એટલુ હાનિકારક હોતું નથી જેટલું ફ્રોઝન ડેઝર્ટ હોય છે. આ સાથે જ આનો સ્વાદ ફ્રોઝન ડેઝર્ટ કરતાં ખૂબ સારો હોય છે.

Read the Next Article

હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણી લો

હાથ અને પગમાં ઝણઝણાટ ક્યારેક હળવો અને ક્યારેક ખૂબ જ પરેશાન કરનારો હોઈ શકે છે. જો તે થોડા સમય માટે થાય છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે, તો તે સામાન્ય રીતે કોઈ દબાણ અથવા ખોટી મુદ્રાને કારણે થાય છે.

New Update
b12

હાથ-પગમાં ઝણઝણાટ ઘણીવાર સામાન્ય કારણોસર થાય છે, પણ વારંવાર થાય તો અનેક ગંભીર સમસ્યાઓનું કારણ હોય શકે છે.

હાથ અને પગમાં ઝણઝણાટ ક્યારેક હળવો અને ક્યારેક ખૂબ જ પરેશાન કરનારો હોઈ શકે છે. જો તે થોડા સમય માટે થાય છે અને તે જાતે જ ઠીક થઈ જાય છે, તો તે સામાન્ય રીતે કોઈ દબાણ અથવા ખોટી મુદ્રાને કારણે થાય છે. પરંતુ જો તે વારંવાર અથવા સતત થઈ રહ્યું હોય, તો તે ઘણા રોગોનું લક્ષણ હોઈ શકે છે.

ડૉ. સુભાષ ગિરી સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ડાયાબિટીસ હોય છે, ત્યારે તેના હાથ અને પગની ચેતા ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે. આવી સ્થિતિમાં, પગ અને હાથમાં ઝણઝણાટ, નિષ્ક્રિયતા અથવા બળતરા અનુભવી શકાય છે.

વિટામિન B12 શરીરની ચેતાને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી ન્યુરોલોજીકલ સમસ્યાઓ થાય છે. તેના લક્ષણોમાં હાથ અને પગ સુન્ન થઈ જાય, ઝણઝણાટ, થાક અને યાદશક્તિ ગુમાવવાનો સમાવેશ થાય છે.

આ એક ઓટોઇમ્યુન બીમારી છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ ચેતા પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં, હાથ અને પગમાં ઝણઝણાટ, સંતુલન જાળવવામાં મુશ્કેલી અને ઝાંખી દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે.

આ રોગમાં, કરોડરજ્જુની ડિસ્ક તેની જગ્યાએથી સરકી જાય છે અને ચેતા પર દબાણ લાવે છે. તેના લક્ષણોમાં કમરનો દુખાવો, એક પગ કે હાથમાં ઝણઝણાટ અને ચાલવામાં તકલીફનો સમાવેશ થાય છે.

શરીરમાં થાઇરોઇડ હોર્મોનની ઉણપને કારણે, હાથ અને પગની ચેતા પર દબાણ આવે છે. તેના લક્ષણોમાં થાક, વજનમાં વધારો, ઝણઝણાટ અને શુષ્ક ત્વચાનો સમાવેશ થાય છે.

જો હાથ અને પગમાં ઝણઝણાટ વારંવાર અથવા સતત ચાલુ રહે અને ચાલતી વખતે નબળાઇ, દુખાવો અથવા સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ સાથે હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવવી જોઈએ. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ ડૉક્ટરની સલાહ લઈને કરવો.)