અંજીરના છે અનેક ફાયદા, દરરોજ ખાવાથી દૂર થશે અનેક જીવલેણ બીમારીઓ....
અંજીર એક એવું ફળ છે જે સ્વાદમાં તો સારું હોય છે. પણ તેને હજારો વર્ષોથી આયુર્વેદમાં દવાઓની માફક ઉપયોગમાં લેવામાં આવે છે. મેડિકલન્યૂઝટુડેના જણાવ્યા અનુસાર, તેમાં એન્ટીકેન્સર, એન્ટીઓકિસડેંટ્સ, એન્ટીઈંફ્લેમેટરી, ફૈ઼ટ લોવરિંગ અને સેલ્સને પ્રોટેક્ટ કરનારા ગુણ પણ મળે છે. જે તેને હેલ્દી શરીર માટે ખૂબ જ જરુરી છે. સુકા અંજીર પણ એક હેલ્દી ડ્રાઈ ફ્રુટ હોય છે. એટલું જ નહીં, અંજીર એંડોક્રાઈન, રેસ્પિરેટરી, ડાયજેશન, પ્રજનન અને ઈમ્યૂનિટીની પ્રક્રિયાને પણ મજબૂત બનાવવામાં ઉપયોગી છે.
· વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનના જણાવ્યા અનુસાર શોધમાં સામે આવ્યું છે કે, અંજીર લિવરને પ્રોટેક્ટ કરવા અને ગ્લૂકોઝ લેવલને કમ કરવામાં ખૂબ જ અસરદાર સાબિત થાય છે. આવી જ રીતે તે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
· અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રીબાયોટિક તત્વ મળે છે, જે ગટને હેલ્દી રાખવાનું કામ કરે છે. જેમાં પાચન તંત્ર સારી રીતે કામ કરવા લાગે છે. તે કબ્જની સમસ્યાને દૂર કરવામાં સક્ષમ છે અને અલ્સર જેવી સમસ્યાઓમાંથી પણ પ્રોટેક્ટ કરવામાં મદદ કરી શકે છે.
· અંજીર ખાવાથી હાર્ટ પણ હેલ્દી રહે છે. હકીકતમાં જોઈએ તો, તેના સેવનથી બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની સમસ્યા કંટ્રોલમાં રહે છે અને આ ગુડ કોલેસ્ટ્રોલને વધારીને બેડ કોલેસ્ટ્રોલને કમ કરવાનું કામ કરે છે. જેનાથી હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે. તે એક પોટેશિયમ રિચ ફળ છે, જે સોડિયમના બેલેન્સને ઠીક રાખે છે. જેનાથી હાર્ટ ડિજિજનો ખતરો ટળી શકે છે.
· આ ઉપરાંત, અંજીર રિપ્રોડક્શન સિસ્ટમને પણ હેલ્દી રાખવામાં મદદ કરી શકે છે. આ મહિલાઓમાં પીરિયડ પેન જેવી પરેશાનીનો ઈલાજ પણ કરે છે. આ ઉપરાંત બોન્સને મજબૂત બનાવે છે. સ્કિન પર થનારી એલર્જી, ડ્રાઈનેસ વગેરેને દૂર કરે છે. વાળને પણ હેલ્દી રાખવાનું કામ કરે છે.