/connect-gujarat/media/post_banners/04d83ebee7a2932eeb0086100bdabdf824aaea951c98083cc76ccda6471030c0.webp)
શિયાળાની શરૂ થઈ ચૂકી છે અને ઠંડીની લહેરો પણ જોવા મળી રહી છે. આ સિઝનમાં સ્વાસ્થયનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ત્યારે આપણાં આહારમાં એવા ફૂડનું સેવન કરવું કે જે આપણાં સ્વાસ્થ્યને તરો તાજા રાખે. શિયાળામાં નારંગી રંગના ફળ અને શાકભાજી ખાવાથી વિટામિન એ, સી, બીટા કેરોટિન, અને લાઇકોપીન મળે છે. જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને આપણે જલ્દીથી બીમાર ના પડીએ. તો ચાલો જાણીએ એવા ફ્રૂટ વિષે કે જે તમને યુવાન પણ રાખશે અને હેલ્ધી અન રાખશે.
શિયાળામાં પપૈયાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. તમારે દરરોજ પપૈયું ખાવું જોઈએ. પપૈયું ખાવાથી વિટામિન સી, અને ફાઈબર મળે છે. પપૈયું ખાવાથી પાચનતંત્ર સારું રહે છે.
ગાજર
શિયાળામાં દરરોજ 1 થી 2 ગાજર ખાવાનું રાખો. ગાજર ખાવાથી ભરપૂર માત્રામાં વિટામિન A મળે છે. ગાજર ખાવાથી આંખો સ્વસ્થ રહે છે.
કોળું
કોળું દરેક ઋતુમાં મળે છે. કોલની મોસમ શીયાળામાં પણ હોય છે. કોળું વિટામિન એ નો સારો સ્ત્રોત છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
નારંગી
વિટામિન સિ થી ભરપૂર સંતરા શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. નારંગી ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમા કેલ્શિયમ મળે છે. દરરોજ એક નારંગી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
જરદારૂ
નારંગી જેવુ જરદારૂ પણ શિયાળામાં મળે છે. જરદારૂ વિટામિન એ, સી પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. જરદારૂમાં આર્યન પણ વધુ માત્રામાં હોય છે.