શું તમને કોઈ નખને લઈને સમસ્યા છે ? તો આ રીતે કરો તેનો ઉપાય અને તેની કાળજી લો...

સ્વસ્થ રહેવા માટે માત્ર શરીર પર ધ્યાન આપવું તો જરૂરી જ તેની સાથે સાથે, નખની સ્વચ્છતા અને કાળજી પણ મહત્વપૂર્ણ છે

New Update
શું તમને કોઈ નખને લઈને સમસ્યા છે ? તો આ રીતે કરો તેનો ઉપાય અને તેની કાળજી લો...

સ્વસ્થ રહેવા માટે માત્ર શરીર પર ધ્યાન આપવું તો જરૂરી જ તેની સાથે સાથે, નખની સ્વચ્છતા અને કાળજી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેમના દ્વારા જંતુઓ સરળતાથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે.પરંતુ આજકાલ નખ સજાવવા માટે મહિલાઓ પોતાના નખ પર ઘણા પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી તમારા નખને સુંદર બનાવે છે, પરંતુ સાથે જ તે નખને સૂકા અને પીળા પણ બનાવે છે, તો ચાલો જાણીએ કે તેમની સંભાળ કેવી રીતે રાખવી.

પાણી આધારિત હાથ તથા નખની સાળસંભાળ ટાળો :-

પાણી આધારિત હાથ તથા નખની સાળસંભાળ સારી લાગી શકે છે, પરંતુ તે નખ માટે સારી નથી, તેથી તેને ટાળવી જોઈએ, પાણી આધારિત હાથ તથા નખની સાજસંભાળમાં નેલ પોલીશ નખ પર ચોંટી જાય છે, જ્યારે તમે તેલ આધારિત મેનીક્યોર પસંદ કરો તો, તે નખને સુકાતા નથી.

તેલ સાથે મોઇશ્ચરાઇઝ :-

તમારા નખને તેલથી મોઇશ્ચરાઇઝ કરો, જેથી તેઓ મજબૂત રહે. સૂતા પહેલા નખના ક્યુટિકલ્સ પર બદામનું તેલ લગાવવું સારું છે. આનાથી શુષ્કતા આવતી નથી. જો બદામનું તેલ ઉપલબ્ધ ન હોય તો લિપ બામનો પણ ઉપયોગ કરી શકાય છે. નખની માલિશ કરવાથી તે સુંદર દેખાય છે.

સોફ્ટનર :-

નખને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે અઠવાડિયામાં એકવાર મેનીક્યોર કરો. આ માટે તમારા હાથને થોડા સમય માટે હૂંફાળા મીઠાના પાણીમાં બોળી રાખો. પછી તમારા હાથને સ્ક્રબ કરો અને ફાઇલરની મદદથી નખની કિનારીઓ પર જમા થયેલી ગંદકીને સાફ કરો. છેલ્લે સોફ્ટનરનો ઉપયોગ કરો.

ચેપ દૂર કરો :-

જો તમને તમારા નખની આસપાસ ફોલ્લીઓ હોય અથવા તેમાંથી લોહી નીકળતું રહે અને ખંજવાળ આવે, તો તે ચેપ હોઈ શકે છે. જેની બિલકુલ અવગણના ન કરવી જોઈએ. આ સિવાય નખમાં લાલાશ, સોજો અને દુખાવો એ ફંગલ ઈન્ફેક્શનના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો અને સારવાર લેવી જોઈએ.

બાયોટિન ઉમેરો :-

બાયોટિન એ આપણા વાળ અને નખની મજબૂતાઈ વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે. ઘણા સંશોધનો એ પણ દર્શાવે છે કે બાયોટિન સપ્લિમેન્ટ નિયમિતપણે લેવાથી નખની ગુણવત્તા સુધરે છે. જો કે, તમે તમારા આહારમાં વિટામિન બી સમૃદ્ધ ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરીને પણ આ લાભ મેળવી શકો છો. તમારા આહારમાં બાફેલા ઈંડા, બદામ, પીનટ બટર, આખા અનાજ, સોયા, કઠોળ, કોબી, કેળા અને મશરૂમનો સમાવેશ કરો.

Read the Next Article

યોગાસનો તમારા હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બનાવે છે બળવાન

શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

New Update
yoga

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હોજરી, મોટું આતરડું, નાનું આતરડું અને પેટનાં સ્નાયુઓ સ્વસ્થ હોય તે જરૂરી છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ધર્મમત્સ્યેન્દ્રાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન વગેરે યોગાસનો આ કાર્ય સારી રીતે કરે છે.

યોગાસનોનો અભ્યાસ હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે. શિરા અને ધમનીઓ તથા રક્તવાહિનીઓની દીવાલોને મજબૂત બનાવવામાં તેમ જ કાર્યક્ષમ બનાવવામાં અને શરીરમાં છેક દૂરના ખુણા સુધી લોહી પહોંચાડવામાં યોગાસનોનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે. આ રીતે યોગાસનોના અભ્યાસથી રુધિરાભિસરણ તંત્ર પણ સ્વસ્થ રાખી શકાય તેમ છે.

શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

  • ફેફસાં, શ્વાસનળી વગેરે શ્વાસનતંત્રનાં અવયવો સ્વસ્થ અને કાર્યક્ષમ હોય તે જરૂરી છે. મયુરાસન, શલભાસન અને બીજાં અનેક આસનો આ કાર્ય સારી રીતે કરી શકે તેમ છે.
  • મોટું આંતરડું, મલાશય અને પેટના સ્નાયુઓ સ્વસ્થ અને કાર્યક્ષમ હોવા જોઈએ. આ કાર્ય સુપ્ત વજ્રાસન, વજ્રાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન આદિ કરી શકે છે.
  • આ જ આસનો કિડની અને મૂત્રાશયને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે.
    ઉપર્યુકત હકીકતોથી સ્પષ્ટ થાય છે કે શારીરિક સ્વાસ્થ્ય માટે યોગાસનોનો અભ્યાસ ખૂબ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે.

શરીરના સ્વાસ્થ્ય ઉપરાંત શરીરની સ્થિરતા, અંગલાધન અને દૃઢતાથી કેળવણી માટે પણ યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થાય છે. ‘હઠપ્રદીપિકા’ અને ‘ઘેરંડ સંહિતા’ આ વિશે શું કહે છે, તે આપણે પ્રારંભમાં જ જોયું છે.

યોગ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે. યોગ એમ માને છે કે આપણા સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણમય શરીર છે. આ પ્રાણામય શરીરનાં પ્રવાહો, નાડીઓ, ચક્રો, કુંડલિની અને તેનું જાગરણ આદિ અનેક વિગતોનું સૂક્ષ્મ વર્ણન શિવદ સ્વરૂપે યૌગિક ગ્ંરથોમાં જોવાં મળે છે.

અધ્યાત્મસાધનમાં પ્રાણ ખૂબ મહત્ત્વનું સાધન છે. પ્રાણ જીવનની શક્તિ છે. પ્રાણ શક્તિનો સ્રોત છે. પ્રાણ શરીર અને ચિત્ત, બંને સાથે જોડાયેલા છે. તેથી પ્રાણની બંને પર અસર થાય છે. પ્રાણનો મહિમા આમ તો સર્વ સાધનમાર્ગમાં છે જ; આમ છતાં યોગમાર્ગમાં અને તેમાં પણ હઠયોગમાં તો પ્રાણને સૌથી વિશેષ મહત્વનું સાધન ગણવામાં આવે છે. અધ્યાત્મપથમા અને ખાસ કરીને યોગમાર્ગમાં પ્રાણની કેળવણી સંબંધિત ચાર ઘટનાઓને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.

આરોગ્ય અંગેનો યોગનો ખ્યાલ આપણા પ્રચલિત ખ્યાલ કરતાં ઘણો યોગ આરોગ્યનો સંબંધ પ્રાણની ગતિ સાથે જોડે છે. અતિ પ્રાચીન ગણાતા સાહિત્યમાં આ વિશે આવો ઉલ્લેખ મળે છે.

લઢૄરિુર્ખીં રુમરુરુર્ખીં રુદ્યઢળ।
રુમરુરુર્ખીં પૈટ્ટર્રૂૂૈ લઊૃં઼રિુર્ખીં અપૈટપ્ર॥

‘તે પ્રાણનાં બે સ્વરૂપો છે- સધ્રીચિ અને વિષૂચિ. વિષૂચિ મૃત્યુ સમાન અને સધ્રીચિ અમૃત સમાન છે.’

સધ્રીચિ એટલે સુસંવાદી, સમરૂપ, વિષચિ એટલે વિષમરૂમ, વિસંવાદી.

વિષૂચિ પ્રાણને મૃત્યુસમાન ગણેલ છે. આનો અર્થ એમ છે કે વિષૂચિ પ્રાણ શરીર અને ચિત્ત, બંને માટે અનારોગ્યનું કારણ બને છે. પ્રાણનું આ સ્વરૂપ અધ્યાત્મયાત્રામાં પ્રતિકૂળ બને છે. સુધ્રીચિ પ્રાણને અમૃત સમન ગણ્યો છે. પ્રાણનું આ સ્વરૂપ શરીર અને ચિત્ત માટે આરોગ્યપ્રદ છે અને અધ્યાત્મયાત્રા માટે અનુકૂળ બને છે.

પ્રાણના પ્રવાહોને વિષૂચિમાંથી સધ્રીચિ બનાવવાનું કાર્ય યૌગિક ક્રિયાઓ કરે છે. યોગાસનો શરીરની નિશ્ર્ચિત અવસ્થા દ્વારા પ્રાણના પ્રવાહોને નિશ્ર્ચિત ગતિ આપે છે. અન્ય યૌગિક ક્રિયાઓની સાથે યોગાસન પ્રાણના પ્રવાહો પર અસર કરીને વિષૂચિ પ્રાણને સધ્રીચિ બનાવવામાં સહાયભૂત થાય છે.

આ રીતે યોગાસનનો અભ્યાસ શરીને સ્વાસ્થ્ય આપે છે અને ચિત્તને પણ સ્વસ્થ બનાવવામાં સહાયક બને છે. યોગાસનના અભ્યાસ દ્વારા મળેલું આ સ્વાસ્થ્ય વધુ સ્થાયી, સાચું અને ઊંડું હોય છે, કારણ કે આ આરોગ્ય પ્રાણમય શરીરના રૂપાંતર દ્વારા સિદ્ધ થયું છે.

પ્રાણના સ્વરૂપમાં રૂપાંતર કરીને યોગાસનનો અભ્યાસ અધ્યાત્મયાત્રાને પણ સુકર બનાવે છે.

યોગાસનનો પ્રથમ દૃષ્ટિએ શરીરની અવસ્થા જણાય છે, પરંતુ વસ્તુત: તે મનોશારીકિક અવસ્થા છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગાસનોનો અભ્યાસ ઉપયોગી બને છે

Yoga | Importance of Yoga | healthy lifestyle | Health Care Tips 

Latest Stories