ગરમીમાં રોજ ખાવું એક વાટકી દહીં, શરીરને થશે આ 4 જોરદાર ફાયદા

ઉનાળો આવતા જ એવી વસ્તુઓ ખાવાનું વધારે મન થાય જે શરીરને ગરમીથી બચાવે અને ઠંડક આપે.

New Update
ગરમીમાં રોજ ખાવું એક વાટકી દહીં, શરીરને થશે આ 4 જોરદાર ફાયદા

ઉનાળો આવતા જ એવી વસ્તુઓ ખાવાનું વધારે મન થાય જે શરીરને ગરમીથી બચાવે અને ઠંડક આપે. આ સિઝનમાં લોકો તેમના આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ વધુ કરે છે.આવી જ એક વસ્તુ છે દહીં. જો ઉનાળામાં નિયમિત દહીં નું સેવન કરવામાં આવે તો શરીરને ઠંડક મળે છે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ દહીંથી થતાં લાભ વિષે.

1. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. દહીંની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

2. વજન ઘટાડવામાં દહીં તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. દહીંમાં ભરપૂર પ્રમાણમા હેલ્ધી ફેટ્સ આવેલા હોય છે. જો તમે ઉનાળામાં નિયમિત પણે દહીંનું સેવન કરશો તો વજન ઘટવાની સાથે સાથે તમારું હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થઈ જશે.

3. ઉનાળામાં નિયમિત દહીં ખાવાથી હાડકાં મજબૂત બને છે. દહીંમા કેલ્સિયમ અને ફૉસ્ફરસ ભરપુર પ્રમાણમા હોય છે.

4. જો દહીંનુ ઉનાળામાં નિયમિત સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. દહીં મા જે ગૂડ બેક્ટેરિયા હોય છે તે પાચનને સુધારે છે. આવી સ્થિતિમાં રોજ એક વાટકી દહીં ખાવામાં આવે તો પેટને લગતા રોગો પણ દૂર થાય છે.

Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health 

Latest Stories