H1N1 વાયરસ ફરી ફેલાઈ રહ્યો છે, 516 લોકો સંક્રમિત, 6 દર્દીઓના મોત

જાન્યુઆરી 2025 માં, ભારતના 16 રાજ્યોમાં સ્વાઈન ફ્લૂ (H1N1) ના 516 કેસ નોંધાયા હતા, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ મૃત્યુ કેરળમાં થયા છે. NCDCએ દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુની સ્થિતિને ગંભીર ગણાવી છે અને સર્વેલન્સ વધારવાની અપીલ કરી છે.

New Update
H1N1

જાન્યુઆરી 2025 માં, ભારતના 16 રાજ્યોમાં સ્વાઈન ફ્લૂ (H1N1) ના 516 કેસ નોંધાયા હતા, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ મૃત્યુ કેરળમાં થયા છે. NCDCએ દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુની સ્થિતિને ગંભીર ગણાવી છે અને સર્વેલન્સ વધારવાની અપીલ કરી છે.

સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1 વાયરસનો ચેપ ફરી ફેલાઈ રહ્યો છે. દેશના 8 રાજ્યોમાં તેનો ફેલાવો ઝડપથી વધ્યો છે. જાન્યુઆરી 2025માં 16 રાજ્યોમાં 516 લોકો સ્વાઈન ફ્લૂથી પ્રભાવિત થયા હતા. સારવાર દરમિયાન 6 લોકોના મોત થયા છે.

સૌથી વધુ મૃત્યુ કેરળમાં થયા છે. અહીં ચાર લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં એક-એકનું મોત થયું. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે એનસીડીસીના રિપોર્ટ અનુસાર દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં સ્થિતિ ગંભીર છે.

NCDC એ તામિલનાડુ, પુડુચેરી, કેરળ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં સ્વાઈન ફ્લૂ અંગે સર્વેલન્સ વધારવા અપીલ કરી છે. તમિલનાડુમાં 209, કર્ણાટકમાં 76, કેરળમાં 48, જમ્મુ અને કાશ્મીરમાં 41, દિલ્હીમાં 40, પુડુચેરીમાં 32, મહારાષ્ટ્રમાં 21 અને ગુજરાતમાં 14 કેસ નોંધાયા છે.

રિપોર્ટમાં શું ઉલ્લેખ હતો?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સુપરત કરાયેલા રિપોર્ટમાં NCDCએ કહ્યું કે 2024માં 20,414 લોકો સંક્રમણથી પ્રભાવિત થયા હતા, જેમાંથી 347ના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, 2019માં સૌથી વધુ 28,798 કેસ નોંધાયા હતા, જેમાં 1,218 લોકોના મોત થયા હતા. કેન્દ્ર સરકારે આ પ્રકારના રોગ સામે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે પહેલેથી જ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આ ટાસ્ક ફોર્સમાં આરોગ્ય મંત્રાલય, NCDC, ICMR, દિલ્હી AIIMS, PGI ચંદીગઢ, NIMHANS બેંગ્લોર, વિજ્ઞાન અને બાયોટેકનોલોજી વિભાગ સહિત વિવિધ મંત્રાલયોના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે. H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો એક પ્રકાર છે, જેને સ્વાઈન ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પહેલા આ વાયરસ માત્ર ભૂંડને જ અસર કરતો હતો, પરંતુ હવે તે માણસોને પણ ચેપ લગાવી રહ્યો છે. તેના લક્ષણો છે તાવ, થાક, ભૂખ ન લાગવી, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા. તે ઉપલા અને મધ્યમ શ્વસનતંત્રને અસર કરે છે. કોરોનાની જેમ તેમાં પણ એક વ્યક્તિને બીજાને ચેપ લગાડવાની ક્ષમતા છે. તેનો કેસ ભારતમાં 2009માં પ્રથમ વખત જોવા મળ્યો હતો. 2009 થી 2018 સુધી, ભારતમાં આ ચેપનો મૃત્યુદર ઘણો ઊંચો રહ્યો.

Read the Next Article

સુરત : જે ખોરાક તમે ખાઓ છો (અથવા સ્કીપ કરો છો) તે તમારા અંડકોષની ગુણવત્તા પર અસર કરી શકે છે : ડો.આશિતા જૈન

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, એડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.

New Update
Dr. Ashita Jain

મહિલાઓની ફર્ટિલિટી (સફળ ગર્ભધારણ) ની વાત કરીએ તો એગ (અંડકોષ)ની ગુણવત્તાએ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. પરંતુ ઉંમરની અસર ઉપરાંત એગની ગુણવત્તા ઘટવા પાછળના અન્ય ઘણા પરિબળો પર ઓછું ધ્યાન અપાય છે. જ્યારે ઉંમર એગના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છેત્યારે પોષણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે અને હકીકતમાં તે સુધારી શકાય તેવું પરિબળ છે.

સુરતના જાણીતા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ,બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફના ડો.આશિતા જૈને આ અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે નેચરલ કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના બેથી ત્રણ મહિના સમયગાળો સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે ઓવ્યુલેશન માટે નિયત એગ તેના વિકાસની જર્ની શરૂ કરે છે અને તેથી આ સમયગાળા દરમિયાન લેવાતા પોષક તત્વો તે એગના સ્વાસ્થ્યને નક્કી કરવા માટે જવાબદાર બને છે.

ફોલેટવિટામિન ડીઓમેગા-3 ફેટી એસિડ્સસેલેનિયમ અને CoQ10 જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઓક્સિડેટીવ સ્ટ્રેસને રોકીનેમાઇટોકોન્ડ્રિયલ ફંક્શનને સુધારીને અને સામાન્ય ક્રોમોઝોમલ ડેવલપમેન્ટને સરળ બનાવીને એગની પરિપક્વતામાં વધારો કરે છે. આ પોષક તત્વો લીલા પાંદડાવાળા શાકભાજીકઠોળબીજનટ્સસાબુત અનાજ અને ઓઇલી ફિશ જેવા ખોરાકમાંથી મળી શકે છે.

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સએડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.આ બંને સ્થિતિઓ હોર્મોનલ સંતુલન અને ઓવ્યુલેશનને નુકસાન પહોંચાડે છે. સમય જતા આ એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને કન્સેપ્શનને સફળ બનાવવાની સંભાવના પણ ઘટાડી શકે છે.

રિસ્ટ્રિક્ટિવ ડાયેટરી પેટર્ન પણ જોખમભરી છે. મીલ સ્કીપ કરવું અથવા ખૂબ જ ઓછી કેલરી વાળું ભોજન લેવાથી ઓવરીઝ અને મગજ વચ્ચેનો હોર્મોનલ કમ્યુનિકેશન ડિસરપ્ટ થઈ શકે છેજેના પરિણામે અનિયમિત પીરિયડ્સ અથવા ઓવ્યુલેશનમાં વિલંબ થઈ શકે છે. વધુમાં ગટ હેલ્થજેને સામાન્ય રીતે ઓછું મૂલ્ય આપવામાં આવે છેતે પોષકતત્ત્વોના શોષણ અને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમને મોડ્યુલેટ કરીને રિપ્રોડક્ટિવ વેલ્બિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એ સમજવું જરૂરી છે કેપોષણ યુક્ત ભોજન માત્ર ઉંમર સંબંધિત ઘટાડાને ઊલટાવી શકાતું નથી અથવા ફર્ટિલિટીના બધા કારણોની સારવાર કરી શકતું નથીપરંતુ તે મહિલાઓના નિયંત્રણમાંના થોડા લીવર્સમાંથી એક છે,જે સીધું તેમના એગના સેલ્યૂલર હેલ્થને સપોર્ટ કરે છે.

કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના મહિનાઓ દરમિયાન શરીરને શું મળે છે તેની નોંધ લેવાથી માત્ર એગની ગુણવત્તા પર જ નહીંપરંતુ ફર્ટિલાઇઝેશન અને પ્રારંભિક ભ્રૂણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પર પણ નોંધપાત્ર ફરક પડી શકે છે.