જાણો, કેવી રીતે દહીં હાઈ બ્લડપ્રેશરને કરે છે નિયંત્રિત
'સાયલન્ટ કિલર' તરીકે ઓળખાતો હાઈ બ્લડપ્રેશરનો રોગ શરીર માટે અત્યંત ઘાતક છે.
દહીં વિના ભોજનની થાળી અધૂરી લાગે છે. દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. દરરોજ દહીંના સેવનથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.અભ્યાસમાં દહીંનું સેવન, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત જોખમી પરિબળો વચ્ચેના જોડાણની તપાસ કરવામાં આવી હતી. બ્લડ પ્રેશર ધરાવતા લોકો દહીંનું સેવન કરીને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. 'સાયલન્ટ કિલર' તરીકે ઓળખાતો હાઈ બ્લડપ્રેશરનો રોગ શરીર માટે અત્યંત ઘાતક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, હાઈ બ્લડ પ્રેશર એ ગંભીર તબીબી સ્થિતિ છે. જે હૃદય, મગજ, કિડની અને અન્ય રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે.
દહીંમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન બી 6 અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશર માટે સારું માનવામાં આવે છે, જ્યારે કેલ્શિયમ સ્નાયુઓના સંકોચનમાં મદદ કરે છે, જે હૃદયના સ્નાયુઓ માટે સારું છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના રોગશાસ્ત્ર અને જીવનશૈલીમાં રજૂ કરાયેલા 2016ના અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ આખા અઠવાડિયામાં પાંચ કે તેથી વધુ વખત દહીં ખાધું હતું તેમને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું હતું. દહીં ગેસ્ટ્રિક સમસ્યાઓને દૂર કરવામાં અને મસાલેદાર ખોરાકને કારણે ગરમીને ઠંડુ કરવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે દૂધ અને દૂધની બનાવટોનું સેવન ત્રણ વખત જ કરવું જોઈએ. તમે લંચ અને ડિનર સાથે એક કપ દહીં ખાઈ શકો છો અને એક ગ્લાસ દૂધ પી શકો છો.