/connect-gujarat/media/post_banners/8c4f876e236bb14dcadb48a333633856efbaa2e4eb231fd295dbd1b1ee4c3182.webp)
મેંદો ઘઉના લોટમાંથી જ બનાવવામાં આવે છે. પણ તે તેને એકદમ રિફાઇન કરીને બનાવવામાં આવે છે. ઇંડિયન કિચનમાં મેંદાનો વધુ પ્રમાણમા ઉપયોગ થાય છે. પણ આપની જાણકારી માટે જણાવી ડાઈએ કે મેંદામાં જરૂરી પોષક તત્વોનો કમી હોય છે. તેને ખાવાથી આપણા શરીરને ફક્ત કેલેરી જ મળે છે. જેને ખાવાથી વજન વધે છે. ત્યારે આવા સમયે જો આપ તમારા ભોજનમાંથી મેંદાને હટાવી દેશો તો તમારા શરીરમાં ચોંકાવનારા ફેરફારો થશે. તો તમને જણાવીએ કે મેંદો ના ખાવાથી આપણા શરીરમાં શું અસર થાય છે.
· પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે.
રિફાઈન્ડ લોટમાં મોટા ભાગે ફાયબર અને પોષક તત્વો ઓછા હોય છે. જેનાથી તેને પચાવવું અધરું થાય છે. ઘઉની રોટલી અથવા ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી અમુક લોકોને કબ્જ, ગેસ, આફરો જેવી બીમારીઓ થઈ શકે છે. ઘઉં ખાવાથી અમુક લોકોના વજન વધે છે. જેના કારણે ગ્લુટેન સેન્સિવિટી જેવી અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે.
· સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ઘઉંમાં ગ્લુટેનની માત્રા વધારે હોય છે. ત્યારે આવા સમયે ઘઉં નહીં ખાવાથી બ્લડમાં સુગર લેવલ મેઇનટેન રહે છે. સાથે જ ઘઉંમાં કાર્બ હોય છે જેનાથી બ્લોટિંગ પેટમાં દુખાવા જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
· કિડની અને લિવરની બીમારી માટે મેંદો અને ઘઉંનો લોટ ખતરનાક
ઘઉં નહીં ખાવાથી સીધી અસર આપના વજન પર પડશે. જેનાથી વજન ઓછું થવા લાગશે. એટલા માટે તેના દર્દીઓ ઘઉંથી બનેલી કોઈ વસ્તુ ખાવાથી પાચન નથી કરી શકતા. એટલા માટે તેના દર્દી ઘઉંથી બનાવેલી કોઈ વસ્તુને સારી રીતે પાચન નથી કરી શકતા, ત્યારે આવા સમયે ઘઉંથી દૂર રહેવું જોઈએ. સતત મેંદો ખાવાથી કિડની અને લિવર સંબંધિત બીમારી પણ થઈ શકે છે. ડાયટમાં મેંદો સામેલ કરવાથી ઈંસુલિનનું લેવલ શરીરમાં વધવા લાગે છે. મેંદો ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી પણ થઈ શકે છે.
· મોટા અનાજથી બનેલા લોટ ખાવાથી શરીરને ફાયદો થાય છે.
આખા અનાજ જેમ કે બાજરી, જ્વાર, રાગી વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં ફાઈબર, વિટામિન અને આયરન સંબંધિત તમામ પોષક તત્વો હોય છે.