Connect Gujarat
આરોગ્ય 

શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન રાખો આટલું ધ્યાન, દિવસભર રહેશો એનર્જીથી ભરપૂર ......

શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન રાખો આટલું ધ્યાન, દિવસભર રહેશો એનર્જીથી ભરપૂર ......
X

આજથી સરવન માસની શરૂઆત થઈ ગઇ છે. આ વખતે 59 દિવસ એટલે કે 2 મહિનો શ્રાવણ માસ રહેશે. આ બે મહિનામાં લોકો વ્રત અને ઉપવાસ કરે છે. આવી સ્થિતિ દરમિયાન બે મહિના સુધી ઉપવાસ કરવાથી નબળાઈ અને થાક અનુભવાઈ છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોને કેવા ખોરાક સાથે કઈ વસ્તુઓ લેવી તે ખૂબ જ મહત્વનુ હોય છે. તો ચાલો જાણીએ જો તમે પણ શ્રાવણ માસના સોમવારનું વ્રત કરતાં હો તો શું કાળજી રાખવી.

1. ખુદને હાઈડ્રેટ રાખો:-

વ્રત દરમિયાન તમે ખુદને હાઈડ્રેટ રાખો. દિવસ દરમિયાન પાણી, લીંબુ પાણી, લચ્છી, નારિયેળ પાણી પીવાનું રાખો. પાણીની ઉણપના કારણે પણ ચક્કર આવવા, નબળાઈ અનુભવવી, માથાનો દુખાવો, થાક લાગવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આથી પુષ્કળ પાણી પીવાનું રાખો જેથી તમારું શરીર હાઈડ્રેટ રહે અને તમે સ્વસ્થ અનુભવો.

2. વ્રતમાં ના ખાઓ હેવી ફૂડ:-

વ્રતને તોડતી વખતે તાત્કાલીલ ભારે ખોરાક ના લેવો, ઘણા લોકો વ્રત તોડીને તળેલો કે પ્રોસેસ્ડ ફૂડ ખાઈ લેતા હોય છે જેથી તે આખો દિવસ સુસ્તી અનુભવે છે. શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

3. થોડું થોડું ખાવો:-

ઘણા લોકો ઉપવાસ દરમિયાન આખો દિવસ ભૂખ્યા રહે છે અને પછી સાંજે એક બેઠકમાં વધારે પડતુ જ ખાય છે. પરંતુ આમ કરવાથી તમે દિવસભર નબળાઈ અનુભવશો. સાથે જ ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. ઉપવાસ દરમિયાન, દિવસમાં એકવાર ભારે ભોજન ખાવાને બદલે, તમારે થોડું-થોડું કરીને 3-4 વખત ખાવું જોઈએ. આના કારણે તમને ભૂખ નહીં લાગે અને તમને થાક કે નબળાઈ પણ નહીં લાગે.

4. ફ્રૂટ્સ અને ડ્રાઈફ્રૂટનું સેવન કરો.:-

ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે પૌષ્ટિક વસ્તુનું સેવન કરવું જોઈએ. આ માટે તમે ફળો અને ડ્રાઈફ્રૂટનું સેવન કરી શકો છો. ફ્રૂટ્સમાં તમે સફરજન, કેળાં, ચીકુ, દાડમ, દ્રાક્ષ, નાસપતી વગેરે ખાઈ શકો છો. ડ્રાઈફ્રૂટ પણ હેલ્ધી ફેટ, પ્રોટીન, અને ફાયબરથી ભરપૂર હોય છે. ઉપવાસ દરમિયાન ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે અને તમે નબળાઈ અનુભવશો નહીં.

5. બપોરે દહીં ખાઓ:-

દિવસ દરમિયાન પેટ ભરેલું રાખવા માટે તમે દહીંનું સેવન કરી શકો છો. હીં પ્રો-બાયોટિક ફૂડ છે અથવા તમે તેની સાથે એક વાટકી ફળ ખાઈ શકો છો. જે શરીરના યોગ્ય પાચનમાં મદદ કરે છે. આ સાથે શરીરમાં પાણીની કમી પણ નહીં થાય.

6. પૂરતી ઊંઘ લો:-

ઉપવાસ દરમિયાન સ્વસ્થ અને ફિટ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ ન આવવાને કારણે તમને નબળાઈ, થાક, ચક્કર કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે 6-7 કલાકની ઊંઘ લો. ઉપરાંત, સકારાત્મક વિચારો અને આરામ કરો.

Next Story