/connect-gujarat/media/media_files/2025/07/02/food-2025-07-02-14-44-53.jpg)
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.
ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત સ્ટ્રીટ ફુડ બનાવતા વિક્રેતાઓ હાઈજીનનું ધ્યાન નથી રાખતા તેથી બીમારીઓનું જોખમ વધી શકે છે.
વરસાદી માહોલમાં ફ્રાય કરેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી પાચન ધીમુ થઈ શકે છે. તેથી તળેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
ચોમાસામાં સીફૂડ ખાવાથી કેટલીક વખત ચેપ લાગવાની શક્યતા છે. આ ઉપરાંત મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ. વરસાદી માહોલમાં મીઠાનું સેવન વધારે કરવાથી પેટ ફૂલવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી અને કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ સરળતાથી લાગી શકે છે. તેથી પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.
ઈડલી અને ઢોસા જેવા આથાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ.
ખાંડનું વધુ સેવન બળતરા અને ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી વધારે ખાંડ વાળી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચા અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ.
Health is Wealth | Lifestyle Tips | Monsoon