રોજ માત્ર એક સફરજન જ નહીં, નારંગી પણ ફાયદાકારક છે, માનસિક બીમારીના જોખમને ઘટાડી શકે

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસેચ્યુસેટ્સ હોસ્પિટલના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નારંગી ખાવાથી તમારો મૂડ સારો થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે દરરોજ એક નારંગી ખાઓ છો, તો તે ડિપ્રેશનને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે.

New Update
orange

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસેચ્યુસેટ્સ હોસ્પિટલના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નારંગી ખાવાથી તમારો મૂડ સારો થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે દરરોજ એક નારંગી ખાઓ છો, તો તે ડિપ્રેશનને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે.

રોજ એક સફરજન ખાવાથી તમે ડોક્ટરથી દૂર રહે છે. એ જ રીતે દરરોજ એક નારંગી ખાવાથી તમે ઘણી હદ સુધી તણાવમુક્ત રહેશો. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના અભ્યાસમાં આ વાત સામે આવી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધકોએ જણાવ્યું હતું કે દરરોજ એક નારંગી ખાવાથી વ્યક્તિમાં 20 ટકા ડિપ્રેશન ઓછું થઈ શકે છે. માઇક્રોબાયોમમાં પ્રકાશિત સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે દરરોજ એક નારંગી ખાશો તો ડિપ્રેશનનો રોગ ઓછો થશે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના વૈજ્ઞાનિક ડૉ રાજ મહેતાની આગેવાની હેઠળના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સાઇટ્રસ ફળો આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયાને વધારવામાં મદદરૂપ છે અને તે મગજના બે રસાયણોના ઉત્પાદનને અસર કરે છે, જે મૂડ સુધારવા માટે જાણીતા છે. સાઇટ્રસ ફળોમાં સેરોટોનિન અને ડોપામાઇન મળી આવે છે. જે ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે.

સંશોધકોએ 100,000 થી વધુ મહિલાઓનો અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નારંગી જેવા ખાટાં ફળ ખાવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. કારણ કે સાઇટ્રસ ફળો ફેકેલિબેક્ટેરિયમ પ્રસનિત્ઝી બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. જે મનુષ્યના આંતરડામાં જોવા મળતા સારા બેક્ટેરિયાનો એક પ્રકાર છે. જે ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન અને ડોપામાઇનને વધારે છે અને તે ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે અને મૂડને સુધારવામાં મદદ કરે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ડો.રાજ મહેતાએ જણાવ્યું કે નારંગીમાં જોવા મળતા તત્વો આંતરડા માટે વધુ સારા છે અને તે મૂડને સારો રાખે છે. જો તમે તમારા આહારમાં સાઇટ્રસ ફળોનો સમાવેશ કરો છો, તો તમે ચોક્કસપણે ડિપ્રેશનના જોખમને ઘટાડી શકો છો. ડો.રાજ મહેતાએ જણાવ્યું હતું કે સાઇટ્રસ ફળોમાં ઘણા ગુણો હોય છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી, સ્વસ્થ હૃદય જાળવવું અને પાચનતંત્રમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. સાઇટ્રસ ફળોમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે.

Latest Stories
    Read the Next Article

    કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

    કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

    New Update
    nipa virus

    કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

    આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

    નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

    આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

    નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

    જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

    આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

    વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

    શરુઆતના લક્ષણો

    તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

    ગંભીર લક્ષણ

    શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

    Kerala | health 

    Latest Stories