Connect Gujarat
આરોગ્ય 

દિવસ દરમિયાન થાકી જવાય છે? તો સ્ટેમીના વધારવા માટે ખાવો આ 5 ફ્રૂટ્સ, આખો દિવસ રહેશો એનર્જેટીક

ઘણી વખત આપણને ઊંઘ્યા પછી પણ થાક લાગે છે. આ કારણે આખો દિવસ આલાસ આવે છે. આવી સ્થિતિમાં કામ કરવું મુશ્કેલ પડી જાય છે.

દિવસ દરમિયાન થાકી જવાય છે? તો સ્ટેમીના વધારવા માટે ખાવો આ 5 ફ્રૂટ્સ, આખો દિવસ રહેશો એનર્જેટીક
X

ઘણી વખત આપણને ઊંઘ્યા પછી પણ થાક લાગે છે. આ કારણે આખો દિવસ આલાસ આવે છે. આવી સ્થિતિમાં કામ કરવું મુશ્કેલ પડી જાય છે. તો ત્વરિત ઉર્જા મેળવવા માટે અહીં કેટલાક ખોરાક છે જે તમને આખા દીવસની એનર્જી પૂરી પડશે. તમે આ ખોરાક ખાઈને પણ તમારી એનર્જી વધારી શકો છો. આ ખોરાક તમારા સ્ટેમિનાને વધારશે. આ સાથે જ આ ખોરાક ખાવાથી તમે દિવસભર એનર્જેટિક રહેશો. આવો જાણીએ તમે કયો ખોરાક ખાઈ શકો છો.

1. કેળાં : તમે કેળાં ખાય શકો છો. તે તમને ત્વરિત ઉર્જા આપે છે. કેળાં દિવસભાર તમારી ઉર્જા જાળવી રાખે છે. કેળાં માં ફાઈબર, પ્રોટીન અને વિટામિન હોય છે. કેળાં મસ્લ્સ બનાવવાનું કામ કરે છે.

2. દહીં : તમે દહીં ખાય શકો છો. દહીંમાં બેક્ટેરિયા હોય છે જે તમારા એનર્જી લેવલને જાળવી રાખે છે. તમે કેટલાક ફળોને પણ દહીંમાં ઉમેરીને ખાય શકો છો. તેનાથી તમારા શરીરને પોષણ મળે છે અને સ્ટેમીના જળવાય રહે છે.

3. ચિયા બીજ : તમે ચિયાના બીજ ખાઈ શકો છો. તેઓ તમારી ઊર્જાને વેગ આપે છે. ચિયા સીડ્સ ખાવાથી તમને પ્રોટીન, ફેટ અને ફાઈબર જેવા અન્ય ઘણા પોષક તત્વો પણ મળે છે. તમે સલાડ અથવા સ્મૂધીમાં પણ ચિયા સીડ્સનો ઉપયોગ કરી શકો છો.

4. ઓટ્સ : ઓટ્સ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. આમાં ફાઈબર વધુ હોય છે. તેઓ તમને ત્વરિત ઊર્જા આપવાનું કામ કરે છે. ઘણા લોકો તેમના વજન ઘટાડવાના આહારમાં ઓટ્સનો સમાવેશ કરે છે. તમે ઓટ્સ ખાઈ શકો છો.

5. ખજૂર : તમે ખજૂર ખાઈ શકો છો. આ ખજૂર તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપવાનું પણ કામ કરે છે. ખજૂરમાં ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. આ ખાવાથી તમારો થાક દૂર થાય છે. તમે એક ગ્લાસ દૂધ સાથે ખજૂર ખાઈ શકો છો. ખજૂર ખાવાથી તમને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. આને ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. મગજના સ્વાસ્થ્ય માટે પણ ખજૂર ખૂબ જ સારી છે. ખજૂર ખાવાથી શરીરમાં એનિમિયા થતો નથી.

Next Story