ડાયટિંગ અને કસરત બાદ પણ વજન નથી ઘટી રહ્યું? તો સાવધાન, હોય શકે છે આ ગંભીર બીમારી.......

વજન જો એક વાર વધી જાય તો પછી તેને ઘટાડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયોગો કરતાં હોય છે

New Update
ડાયટિંગ અને કસરત બાદ પણ વજન નથી ઘટી રહ્યું? તો સાવધાન, હોય શકે છે આ ગંભીર બીમારી.......

વજન જો એક વાર વધી જાય તો પછી તેને ઘટાડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયોગો કરતાં હોય છે, કસરતથી માંડીને ડાયટિંગ સુધી બધુ જ કરતાં હોય છે છતાં પણ અમુક લોકોનો વજન ઘટતો નથી. તો સમજવું કે આ લોકોને કોઈ બીમારી હોય શકે છે. કેટલીક સ્વાસ્થ્યની સમસ્યાઓ છે જે આપણા શરીરના ચયાપચય અને હોર્મોનલ સંતુલનને વિક્ષેપિત કરે છે. જેનાથી વજન ઓછું કરવું મુશ્કેલ બને છે.

PCOS : PCOS એટલે પોલીસિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ, જે સ્ત્રીમાં જોવા મળે છે. આ રોગથી પીડાતી મહિલાઓ આહાર અને કસરત કર્યા છતાં પણ પોતાના વજનને ઘટાડી શકતી નથી.

થાઈરૉઈડ : થાઈરૉઈડ એ એક પ્રકારનો હોર્મોનલ ઇંબેલેન્સ રોગ છે. જે લોકોને થાઈરૉઈડ છે તે લોકોને વજન ઘટાડવામાં ખૂબ જ તકલીફ પડે છે. હાઇપરથાઇરોડીઝમ થાઈરૉઈડ હોર્મોન્સના કારણે થતો રોગ છે. જેનાથી વજન ઓછું કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.

કોર્ટીકોસ્ટેરોઈડસ : કોર્ટીકોસ્ટેરોઈડસએ શરીરમાં હજાર હોર્મોન્સનો જ એક પ્રકાર છે. જે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વધુ માત્રમાં ઉત્પન્ન થાય છે. કોર્ટીકોસ્ટેરોઈડસ વધુ માત્રમાં ધરાવતા લોકો સરળતાથી વજન ઉતારી શકતા નથી.        

Latest Stories
Read the Next Article

વરસાદની સિઝનમાં વારંવાર થતી પેટની સમસ્યાથી છો પરેશાન? આ હોમ રેમેડી અપનાવો

ચોમાસામાં જ્યારે અપચો થાય છે, ત્યારે તમારું પેટ ખૂબ ભરેલું અને કડક લાગે છે. આ સમસ્યા એકદમ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેનો સામનો કરે છે.

New Update
blotting

ચોમાસામાં જ્યારે અપચો થાય છે, ત્યારે તમારું પેટ ખૂબ ભરેલું અને કડક લાગે છે. આ સમસ્યા એકદમ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેનો સામનો કરે છે.

ઘણી વખત જ્યારે તમે ખાઓ છો તે ખોરાક યોગ્ય રીતે પચતો નથી, ત્યારે પેટનું ફૂલવું શરૂ થાય છે. આના કારણે, ઘણી વખત તમને અસ્વસ્થતા અનુભવાય છે અને પેટમાં દુખાવો પણ થાય છે.

ઘણી વખત લોકોને ખોરાક ખાધા પછીઅપચો થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અપચો અને ગેસ માટે આદુની ચા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુની ચા પીવાથી પેટનો દુખાવો પણ ઓછો થાય છે.

આયુર્વેદમાં અજમાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવ્યો છે. પાચન સંબંધિત સમસ્યાઓ માટે અજમો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગેસ, પેટનું ફૂલવું અને પેટના દુખાવાની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં અજમો ફાયદાકારક છે.

ત્રિફળા, ત્રણ ફળો આમળા, હરિતાકી અને બિભીતાકીમાંથી બનેલ આયુર્વેદિક હર્બલ મિશ્રણ, ઘણા પાચન ફાયદા ધરાવે છે. ત્રિફળા આંતરડાની ગતિવિધિઓને નિયમિત બનાવે છે, પાચનમાં સુધારો કરે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે. તેનું સેવન કરવાથી ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યામાં રાહત મળે છે.

ફુદીનો તમારા પાચનતંત્રના સ્નાયુઓને શાંત કરી શકે છે, ગેસ ઘટાડે છે અને પેટનું ફૂલવું દૂર કરે છે. આ લીલા આયુર્વેદિક પાંદડા પેટના ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવા માટે શ્રેષ્ઠ ઔષધિઓમાંની એક છે.

આયુર્વેદમાં પીપળીના ઘણા ફાયદા વર્ણવવામાં આવ્યા છે. પીપળી પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પેટનું ફૂલવું અને ગેસ ઘટાડવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પોષક તત્વો યોગ્ય રીતે શોષાય છે.

 

Latest Stories