Connect Gujarat
T20 વર્લ્ડ કપ 2022

T20 વર્લ્ડ કપ : દિનેશ કાર્તિક અને ચહલની વાપસી થશે?, ભારતીય કોચ રાહુલ દ્રવિડે સેમી ફાઈનલમાં ફેરફારનો સંકેત આપ્યો.!

ભારતીય ક્રિકેટ ટીમ ધમાકેદાર રીતે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

T20 વર્લ્ડ કપ : દિનેશ કાર્તિક અને ચહલની વાપસી થશે?, ભારતીય કોચ રાહુલ દ્રવિડે સેમી ફાઈનલમાં ફેરફારનો સંકેત આપ્યો.!
X

ભારતીય ક્રિકેટ ટીમ ધમાકેદાર રીતે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. સુપર-12ના પોતાના ગ્રુપ-2માં ટોચ પર રહીને ક્વોલિફાઈ થયેલી ભારતીય ટીમને સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવું પડશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ સેમીફાઈનલ મેચ ગુરુવારે (10 નવેમ્બર) એડિલેડ મેદાન પર રમાશે. આ માટે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે દ્રવિડે પણ આ મેચમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે.

દ્રવિડે કહ્યું છે કે એડિલેડની સ્થિતિ અનુસાર ભારતીય પ્લેઈંગ-11માં જરૂરી ફેરફાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પ્લેઇંગ-11માં સ્થાન મેળવી શકે છે, કારણ કે એડિલેડની પીચ સામાન્ય રીતે ધીમા બોલરો માટે મદદરૂપ હોય છે. આ સાથે જ અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ ટીમમાં વાપસી કરી શકે છે. જ્યારે ઋષભ પંતને ફરીથી બેસાડી શકાય છે. દ્રવિડે મીડિયાને કહ્યું, 'મને લાગે છે કે અમે અમારી 15 સભ્યોની ટીમ માટે સંપૂર્ણપણે ખુલ્લા મનના છીએ. અમને વિશ્વાસ છે કે આ 15 સભ્યોની ટીમમાં જે પણ સામેલ હશે તે અમને નબળા નહીં બનાવે. અમે આવી ટીમ પસંદ કરી છે. હું ફરી એ જ વાત કહીશ કે આપણે ત્યાં (એડીલેડ) જઈશું અને જોઈશું. મેં આજે (એડીલેડ મેદાન પર) કેટલીક મેચો જોઈ અને મને ખબર છે કે ત્યાં ટ્રેક થોડો ધીમો છે. ગ્રીપ્ડ છે. થોડો વળાંક આવે છે. અમે એડિલેડમાં સંપૂર્ણપણે નવી પિચ પર રમીશું.

Next Story