ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1046 નવા કેસ નોધાયા, 931 દર્દીઑ થયા સાજા

New Update
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1046 નવા કેસ નોધાયા, 931 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ફરી ધીરે ધીરે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1046 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 5 દર્દીઓના મોત થયા છે. જ્યારે 931 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,79,679 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3756 થયો છે. રાજ્યમાં હાલ 12,146 એક્ટિવ કેસ છે, જ્યારે 1,63,777 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,075 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1046 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 161, સુરત કોર્પોરેશનમાં 157,  વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 75, મહેસાણામાં 57, રાજકોટ-વડોદરામાં 38-38, પાટણમાં 36, સુરતમાં 35, બનાસકાંઠા-નર્મદામાં 24-24, ગાંધીનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, ભરૂચમાં 20, જામનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20, સુરેન્દ્રનગરમાં 20, ગાંધીનગરમાં 17, સાબરકાંઠામાં 16, દાહોરમાં 15, મોરબીમાં 15, અમરેલીમાં 14, જુનાગઢમાં 12, ખેડામાં 12, પંચમહાલામાં 11 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 5 દર્દીઓના કોરોનાને કારણે કરૂણ મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 931 દર્દી સાજા થયા છે. જ્યારે 51,761 લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 64,16,963  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.


Latest Stories