/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/07203809/03.png)
ગુજરાત રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાના 1330 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે વધુ 15 દર્દીઓના મોત થયા છે.જ્યારે રાજ્યમાં આજે 1276 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 105,671 પર પહોંચી છે.અને કુલ મૃત્યુઆંક 3123 થયો છે.
રાજ્યમાં આજે 1330 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરત 111, રાજકોટ કોર્પોરેશનમાં 96, જામનગર કોર્પોરેશનમાં 94, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટમાં 52, વડોદરામાં 37, કચ્છમાં 35, સુરેન્દ્રનગરમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 31, પંચમહાલમાં 30, મોરબી 27, અમરેલી 24, અમદાવાદ 23, મહેસાણામાં 22, ભરૂચ અને ગાંધીનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે 15 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે, જ્યારે 86034 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16425 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.42 ટકા છે.