રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 125 નવા કેસ નોંધાયા છે અને 149 દર્દી સાજા થયા છે. તો આજે જામનગર શહેર અને તાપી જિલ્લામાં 1-1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા પર સ્થિર રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 74 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 31 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 61 હજાર 982 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1023 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 1020 દર્દીઓની હાલત સ્થિર છે.