/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16224247/coronavirus-1580281256.jpg)
રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સંક્રમણમાં સતત વધારો થતાં કોરોના ફરી રાજ્યમાં બેકાબૂ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565 નવા કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08 ટકા પર પહોંચ્યો છે. હાલ 6737 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4443 લોકોના કોરોનાથી મોત થયા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 401, સુરત કોર્પોરેશનમાં 381, વડોદરા કોર્પોરેશનમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 121, સુરતમાં 103, રાજકોટ 31, મહેસાણા 29, ખેડા 27, ભાવનગર કોર્પોરેશન 25, પંચમહાલ 24, દાહોદ 19, જામનગર કોર્પોરેશન-19, વડોદરા 19, નર્મદા 18, ગાંધીનગર 17, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16, સાબરકાંઠા 16, ભરૂચ 14, મહીસાગર 14, જામનગર 13, આણંદ 12, જુનાગઢ કોર્પોરેશન 12, બનાસકાંઠા 11, મોરબી 11, પાટણ 11 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં કુલ 28,36,204 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,92,712 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,02,529 લોકોને રસી આપવામાં આવી છે.