પાકિસ્તાન સાથે તણાવ વધતા ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે

New Update
aaa

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી.

Advertisment

જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છેત્યારે ગુરુવારે 8 મે 2025 મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુપઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા.

ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સૂચના મુજબગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ પર આગામી સૂચના સુધી નાગરિક કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

પાકિસ્તાને જમ્મુપંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં અનેક સ્થળોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ પછી  નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જેમાં દેશના કુલ એરપોર્ટ પર NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું છે.

જેમાં ગુજરાતના મુન્દ્રાજામનગરરાજકોટ,પોરબંદરકેશોદકંડલાભુજ સહિત ચંદીગઢશ્રીનગરઅમૃતસરલુધિયાણાભુંટેરકિશનગઢપટિયાલાશિમલાકાંગરા-ગગ્ગલભટીંડાજેસલમેરજોધપુરબિકાનેરહલવારાપઠાણકોટજમ્મુલેહ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે.

 

Advertisment
Latest Stories