/connect-gujarat/media/post_banners/b4fb046e1b5e2c2f10864f703cbb032c68ec9c936efc7e7d05c8300274d31fa9.webp)
ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. ગઈકાલે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCRમાં ગઈકાલે આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી, જ્યારે ઉત્તરાખંડમાં આજે ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ હતી. પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.