PM મોદી સંઘ પ્રદેશના પ્રવાસે: દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું

જનસભા બાદ દમણના દેવકા બીચ પર 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને 5 કિમીના સી વ્યૂનું લોકાર્પણ કરશે.

New Update
PM મોદી સંઘ પ્રદેશના પ્રવાસે: દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું

PM મોદી સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. દમણના સાયલી પાસે નવનિર્મિત નમો મેડિકલ કોલેજનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સેલવાસમાં જનસભાને સંબોધી રહ્યા છે. જનસભા બાદ દમણના દેવકા બીચ પર 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને 5 કિમીના સી વ્યૂનું લોકાર્પણ કરશે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

પીએમ મોદી સંઘપ્રદેશની મુલાકાત દરમિયાન આજે સંઘપ્રદેશને 4800 કરોડથી વધુનાં 95 વિકાસ કામોની ભેટ આપી હતી.. જેમાં દાદરા અને નગર હવેલીમાં 993 કરોડના 27 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 1797 કરોડના નવા 25 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દમણમાં 481 કરોડના 18 પ્રોજેક્ટનું લોકાર્પણ 1000 કરોડના 19 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દીવના 531 કરોડના 6 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.



Read the Next Article

હિમાચલ પ્રદેશ: પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પીએમ મોદીને મળ્યા,આપત્તિથી થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

New Update
Jairam Thakur

હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે સોમવારે (28 જુલાઈ) દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. જયરામ ઠાકુરે પીએમને મળ્યા અને તેમને હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

જયરામ ઠાકુરે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને કહ્યું કે આ આપત્તિમાં લોકોના ઘરો જ નહીં પરંતુ તેમની જમીનો પણ ધોવાઈ ગઈ છે, હવે તેમની પાસે ઘર બનાવવા માટે પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં, અમે તેમને જમીન આપવા માટે 'વન સંરક્ષણ કાયદા'માં છૂટછાટ આપવા વિનંતી કરી. ઉપરાંત, અમે પુનર્વસન અને પુનર્નિર્માણ માટે 'વિસ્તાર વિશિષ્ટ' રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીને હિમાચલ પ્રદેશમાં વારંવાર બનતી કુદરતી આફતોના કારણોનો અભ્યાસ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય. આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ સહયોગ આપવા બદલ પ્રધાનમંત્રીનો પણ આભાર માનવામાં આવ્યો.