અમદાવાદ : વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ..!

New Update
અમદાવાદ : વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ..!

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રવક્તાએ યોજી બેઠક

પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યા સરકાર પર પ્રહાર

આદિવાસીઓ માટે વન ધન યોજના નુકસાનરૂપ : પ્રવક્તા

અમદાવાદ સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ બેઠક યોજી કેન્દ્ર સરકારની વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજ્યના અંતરિયાળ ગ્રામીણ તેમજ વન પ્રદેશમાં વસતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓને વન વિસ્તારમાંથી એકત્ર કરાતી વનપેદાશોનું સાચું મૂલ્ય મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજના અમલમાં મુકવામાં આવી છે, ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ બેઠક યોજી કેન્દ્ર સરકારની વન ધન યોજના આદિવાસીઓ માટે નુકસાનરૂપ હોવાનો આક્ષેપ કર્યો હતો. વન ધન યોજના અંતર્ગત જંગલની ગૌણ પેદાશોનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તાએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે વન ધન યોજના પેટે રૂ. 17.40 કરોડની ફાળવણી કરાય છે. ઉપરાંત પ્રત્યેક આદિવાસી પાસેથી રૂ. 1 હજાર લેખે યોજાનામાં ફાળા પેટે રૂ. 3 કરોડ 48 લાખ ઉઘરાવ્યા હોવાનો પણ પાર્થિવરાજ કઠવાડિયાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં વન ધન યોજનાના કુલ 116 ક્લસ્ટર આવેલા છે, જ્યાં એક ક્લસ્ટરમાં કુલ 300 આદિવાસી સભ્યો છે. તો બીજી તરફ, વન ધન યોજના થકી જંગલની ગૌણ પેદાશોની ટ્રાઇફેડ સંસ્થા દ્વારા ખરીદી કરવામાં આવે છે. અને ટ્રાઇફેડ આ પ્રોડ્કટ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મલ્ટીનેશનલ કંપનીને વેચે છે. જેમાં મધ અને મહુડાના ફૂલ, કરંજના બીજ જેવી 86 પ્રકારની ગૌણ પેદાશનું વેચાણ કરવામાં આવે છે. જેથી આદિવાસીઓને જંગલની ગૌણ પેદાશોના વેચાણનું પૂરતું વળતર મળતું નથી. જોકે, સરકાર આ યોજનાના બદલે સીધી સહાય કરે, તો આદિવાસીઓને મહિને 5 હજાર રૂપિયા મળે તેમ છે. વનધન યોજનામાં કોનો વિકાસ થયો અને કોને લાભ મળ્યો તેવા સવાલ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ઉઠાવ્યા છે, ત્યારે હવે આદિવાસીઓને તેમની મહેનતનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી કોંગ્રસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભારતીય વાયુસેનાના Boeing AH-64 Apache હેલિકોપ્ટરનું થયું ઇમરજન્સી લેન્ડિંગ

ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુરમાં કટોકટી લેન્ડિંગ કર્યું. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન નથી. મહત્વનું છે કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

New Update
6+

ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુરમાં કટોકટી લેન્ડિંગ કર્યું. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન નથી. મહત્વનું છે કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

ભારતીય વાયુસેનાના (IAF) એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુર વિસ્તારમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર ને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચી નથી અને તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

ગત અઠવાડિયે પણ એવું જ એક ઘટના ઉત્તર પ્રદેશના સહારનપુર નજીક બની હતી, જ્યાં ટેકનિકલ ખામીના ઈશારા મળતા એક અપાચે હેલિકોપ્ટર ને ખેતી વાળા ખેતરમાં ઉતારવું પડ્યું હતું. ઘટના બાદ જમીન પર વિશાળ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટર સુરક્ષિત રીતે સહારનપુરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા સરસાવા એરસ્ટેશન પર પાછું લઈ જવાયું હતું.

ગયા વર્ષ 4 એપ્રિલે લદ્દાખના ખાર્દુંગલા નજીક એક અન્ય અપાચે હેલિકોપ્ટર ઓપરેશનલ મિશન દરમિયાન હાર્ડ લેન્ડિંગ બાદ ગંભીર રીતે નુકસાન પામ્યું હતું.

અપાચે હેલિકોપ્ટર, જેને ઔપચારિક રીતે Boeing AH-64 Apache તરીકે ઓળખવામાં આવે છે, વિશ્વના સૌથી આધુનિક અને ખતરનાક એટેક હેલિકોપ્ટર્સ વડે થાય છે. 1970ના દાયકામાં હ્યુઝ હેલિકોપ્ટર્સ દ્વારા વિકાસ પામેલું અને ત્યારબાદ મેકડોનલ ડગ્લસ તથા બોઇંગ દ્વારા ઉત્પાદિત અપાચે, તેની ઘાતક ફાયરપાવર, ચપળતા અને યુદ્ધમેદાનમાં ટકાવૂ શક્યતા માટે જાણીતું છે.

આ હેલિકોપ્ટરમાં ટાર્ગેટ એક્વિઝિશન અને નાઈટ વિઝન માટે નાકે માઉન્ટેડ સેન્સર સુઈટ હોય છે, જે દિવસ કે રાત્રિમાં તેમજ ખરાબ હવામાનમાં પણ કાર્યક્ષમ બની રહે છે. તેની મુખ્ય હથિયાર સિસ્ટમોમાં 30 મિ.મી. M230 ચેઈન ગન, હેલફાયર એન્ટી-ટેંક મિસાઈલ્સ અને હાઈડ્રા 70 રોકેટ પોડ્સનો સમાવેશ થાય છે. આ હેલિકોપ્ટર જમીન પરના વાહનો, કિલ્લાબંધી અને દુશ્મનના સૈનિકો સામે અત્યંત અસરકારક રીતે હુમલો કરી શકે છે.

Latest Stories