દેશના પહેલા અગ્નિવીર અક્ષય લક્ષ્મણ થયા શહીદ, તેઓ આર્મીમાં ઓપરેટર તરીકે પોસ્ટેડ હતા
કારાકોરમ રેન્જમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વનું સૌથી ઉંચુ સૈન્ય મથક માનવામાં આવે છે
BY Connect Gujarat22 Oct 2023 1:17 PM GMT
X
Connect Gujarat22 Oct 2023 1:17 PM GMT
સિયાચીનમાં તહેનાત ભારતીય સેનાના જવાન અક્ષય લક્ષ્મણે એક ઓપરેશન દરમિયાન જીવ ગુમાવ્યો છે. તેઓ શહીદ થનાર દેશના પ્રથમ અગ્નિવીર છે. લક્ષ્મણ ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના ભાગ હતા. સોશિયલ મીડિયા પર અગ્નિવીરને શ્રદ્ધાંજલિ આપતા ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લખ્યું, "સિયાચીનની સખત ઊંચાઈઓ પર ડ્યુટી પર હતા ત્યારે અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સેના સલામ કરે છે.
કારાકોરમ રેન્જમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વનું સૌથી ઉંચુ સૈન્ય મથક માનવામાં આવે છે જ્યાં સૈનિકોને તીવ્ર ઠંડા પવનો સામે સંઘર્ષ કરવો પડે છે. જો કે લક્ષ્મણે કયા કારણોસર જીવ ગુમાવ્યો તે જાણી શકાયું નથી. સેનાના જણાવ્યા અનુસાર, અગાઉ જૂનમાં સિયાચીન ગ્લેશિયરમાં આગની દુર્ઘટનામાં આર્મીના એક જવાનનું મોત થયું હતું, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા.
Next Story