“મરાઠા આરક્ષણ પર તમામ પક્ષોની સંમતી” : સર્વપક્ષીય બેઠક બાદ CM શિંદેએ કહ્યું અનામત આપવામાં થોડો સમય લાગશે..!

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન દેખાવો કરવામાં આવી રહ્યા છે

New Update
“મરાઠા આરક્ષણ પર તમામ પક્ષોની સંમતી” : સર્વપક્ષીય બેઠક બાદ CM શિંદેએ કહ્યું અનામત આપવામાં થોડો સમય લાગશે..!

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગનો વિરોધ સતત વધી રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણ વિવાદને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અનામત આપવા માટે થોડો સમય આપવો જોઈએ.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન દેખાવો કરવામાં આવી રહ્યા છે. નાંદેડ જિલ્લા પોલીસ અધિક્ષક કૃષ્ણ કોકાટે મંગળવારે સાંજે મરાઠા આરક્ષણની માંગણી કરી રહેલા સમર્થકો દ્વારા પ્રદર્શન દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી.

મરાઠા આરક્ષણ પર સર્વપક્ષીય બેઠક બાદ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું, હું મનોજ જરાંગે પાટીલને વિનંતી કરું છું કે, તેઓ સરકારના પ્રયાસોમાં વિશ્વાસ રાખે... આ વિરોધ એક નવી દિશા લેવાનું શરૂ કર્યું છે. સામાન્ય લોકોએ અસુરક્ષિત ન અનુભવવું જોઈએ. હું દરેકને શાંતિ જાળવવા અને રાજ્ય સરકારને સહકાર આપવા વિનંતી કરું છું. સર્વપક્ષીય બેઠકના સંદર્ભમાં, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, મરાઠા આરક્ષણને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે, અનામત આપવા માટે થોડો સમય આપવો જોઈએ. મરાઠા સમુદાયને અનામત આપવી એ મહત્વનો મુદ્દો છે. મરાઠા આરક્ષણ આપવા પર તમામ પક્ષો સંમત થયા છે, અને આ માટે કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ દરેકે તેને સમજવું પડશે.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.