ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના મુન્સિયારી અને નાચની સહિત અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
BY Connect Gujarat Desk22 Jan 2023 8:25 AM GMT
X
Connect Gujarat Desk22 Jan 2023 8:25 AM GMT
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના મુન્સિયારી અને નાચની સહિત અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે 8.58 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસથી મળેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢ જિલ્લામાં 10 કિમીની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાંથી મળેલી માહિતી અનુસાર ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી.
Next Story