બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, ટોળાએ હુમલા બાદ મૃતદેહને આગ ચાંપી દીધી...

બાંગ્લાદેશમાં અશાંતિ યથાવત રહી છે. ગત તા. 31 ડિસેમ્બરે, શરિયતપુર જિલ્લામાં એક ટોળાએ ખોખન દાસ નામના હિન્દુ વ્યક્તિ પર હુમલો કરીને જીવતો સળગાવી દીધો હતો.

New Update
Khokhan Das

તાજેતરના દિવસોમાં આ કોઈ હિન્દુ પર ચોથો હુમલો છે. અગાઉબીજેન્દ્ર બિસ્વાસઅમૃત મંડલ અને દીપુ ચંદ્ર દાસની પણ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતીજે દેશમાં ધાર્મિક હિંસામાં વધારો દર્શાવે છે. 

બાંગ્લાદેશમાં એક ટોળાએ ખોખન દાસ નામના બીજા હિન્દુ વ્યક્તિ પર હુમલો કર્યો. આ હુમલામાં 50 વર્ષીય દાસ ઘાયલ થયા હતાઅને પછી તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના 31 ડિસેમ્બરે દેશના શરિયતપુર જિલ્લામાં બની હતી. અહેવાલો અનુસારદાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટોળાએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યોતેમને માર માર્યો અને આગ લગાવી દીધી.

બાંગ્લાદેશમાં કોઈ હિન્દુ પર આ ચોથો હુમલો છે. સોમવારેબીજેન્દ્ર બિસ્વાસ નામના હિન્દુ યુવાનને તેના સાથીદાર દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. તા. 24 ડિસેમ્બરના રોજબાંગ્લાદેશના કાલીમોહર યુનિયનના હુસૈનડાંગા વિસ્તારમાં એક ટોળા દ્વારા 29 વર્ષીય હિન્દુ યુવાન અમૃત મંડલની કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.

આ પહેલા તા. 18 ડિસેમ્બરના રોજમૈમનસિંઘના ભાલુકામાં 25 વર્ષીય હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની ફેક્ટરીમાં એક મુસ્લિમ સહકાર્યકર દ્વારા ઈશનિંદાનો ખોટો આરોપ લગાવ્યા બાદ ટોળા દ્વારા તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ટોળાએ દાસની હત્યા કરી હતી, અને પછી તેના શરીરને ઝાડ પર લટકાવી દીધું હતું અને પછી તેને આગ લગાવી દીધી હતી.

Latest Stories