New Update
/connect-gujarat/media/media_files/2026/01/07/meidn-rpae-2026-01-07-12-42-44.png)
એન્ટિબાયોટિક દવાના બેફામ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી રહી છે. જેના પછી લોકો રેપર જોઈને જાણી જશે કે દવા એન્ટિબાયોટિક છે કે નહીં.
એન્ટિબાયોટિક દવાઓને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર બજારમાં એન્ટિબાયોટિક દવાની ઓળખ માટે એક સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહી છે.જેથી સામાન્ય લોકો સરળતાથી સમજી શકે કે તેમને આપવામાં આવેલી દવા એન્ટિબાયોટિક છે કે નહીં. એન્ટિબાયોટિક દવાના ખોટા અને વધારે પડતા ઉપયોગને રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે, જેના અંતર્ગત એન્ટિબાયોટિક દવાઓના પેકેજિંગ પર ખાસ રંગ, કોડ કે સ્પષ્ટ નિશાન હશે, જેથી દર્દી અને ફાર્માસિસ્ટઆને સરળતાથી ઓળખી શકે કે આ દવાઓ એન્ટિબાયોટિક છે કે નહીં.
Latest Stories