ભરૂચ : કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તૈયારીને અંતિમ ઓપ

ભરૂચના કાસદના યુવાનોએ  પુનઃ ડમ્પિંગ સાઈટ સામે વિરોધ કરી વાહનો અટકવ્યા હતા. જેના પગલે પાલિકા દ્વારા પુનઃ અંક્લેશ્વરની ડમ્પિંગ સાઈટ શરૂ કરી

New Update
Advertisment

કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની કરાશે ઉજવણી

Advertisment

સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં મહોત્સવનું આયોજન

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનું આયોજન

કેસરોલ ખાતે શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તૈયારીને અંતિમ ઓપ

શરદપૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજકો દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદપૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આગામી તા. 30 ડિસેમ્બર-2024ના રોજ એક દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છેત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા અને ગુજરાતી લોક ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છેજેને લઈને કથાપ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવને લઈને પ.પૂ. સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ દ્વારા મંડપબેઠકપાર્કિંગમહાપ્રસાદી સહિતની વિવિધ બાબતોને ધ્યાને લઇ કાર્યકરોના સહકારથી આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છેત્યારે આ કાર્યક્રમની તૈયારીમાં ભરૂચથી દહેજ રોડ પર આવેલા તમામ ગામોના આગેવાનો સહિત સનાતન સંત પરિવારના સભ્યો અને ગુરુભક્તો તનતોડ મહેનત કરી રહ્યા છે.

Latest Stories