ભરૂચ : કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તૈયારીને અંતિમ ઓપ

ભરૂચના કાસદના યુવાનોએ  પુનઃ ડમ્પિંગ સાઈટ સામે વિરોધ કરી વાહનો અટકવ્યા હતા. જેના પગલે પાલિકા દ્વારા પુનઃ અંક્લેશ્વરની ડમ્પિંગ સાઈટ શરૂ કરી

New Update

કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની કરાશે ઉજવણી

સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં મહોત્સવનું આયોજન

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનું આયોજન

કેસરોલ ખાતે શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તૈયારીને અંતિમ ઓપ

શરદપૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજકો દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદપૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આગામી તા. 30 ડિસેમ્બર-2024ના રોજ એક દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છેત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા અને ગુજરાતી લોક ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છેજેને લઈને કથાપ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવને લઈને પ.પૂ. સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ દ્વારા મંડપબેઠકપાર્કિંગમહાપ્રસાદી સહિતની વિવિધ બાબતોને ધ્યાને લઇ કાર્યકરોના સહકારથી આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છેત્યારે આ કાર્યક્રમની તૈયારીમાં ભરૂચથી દહેજ રોડ પર આવેલા તમામ ગામોના આગેવાનો સહિત સનાતન સંત પરિવારના સભ્યો અને ગુરુભક્તો તનતોડ મહેનત કરી રહ્યા છે.

Read the Next Article

તમિલનાડુમાં ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ

તમિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી છે. જોકે, અકસ્માત બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે.આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું છે.

New Update
WhatsApp Image 2025-06-30 at 3.56.22 PM

તમિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી છે. જોકે, અકસ્માત બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે.

આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, હાલ આગ લાગ્યા બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

મળતી માહિતી મુજબ, તિરૂવલ્લુર પાસે એક માલગાડીના ચાર ડબ્બામાં રવિવારે (13 જુલાઈ) વહેલી સવારે આગ લાગી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ માલગાડીમાં ડીઝલ ભરેલું હતું અને આ માલગાડી મનાલીથી તુરૂપતિ જઈ રહી હતી. માલગાડીમાં સવાર ચાર કોચ આગની લપેટમાં આવ્યા અને બાકીના કોચને તેનાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે ચેન્નઈથી નીકળતી અને ચેન્નઈ જતી ટ્રેનોને અસર થશે. હાલ રેલ લાઇનને ક્લિયર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 

અકસ્માત બાદ દક્ષિણ રેલવેએ એલર્ટ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દક્ષિણ રેલવેએ કહ્યું કે, 'ટ્રેન સેવા એલર્ટ! તિરૂવલ્લૂર પાસે આગ લાગવાના કારણે સુરક્ષાના ભાગરૂપે ઓવરહેડ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન સંચાલનમાં પણ બદલાવ કરાયો છે. મુસાફરોને સલાહ છે કે, મુસાફરી પહેલા લેટેસ્ટ અપડેટ ચેક કરી લે.

  • ટ્રેન નંબર 20607 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી સવારે 5:50 વાગ્યે રવાના થનારી ફલાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12007 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - મૈસુર શતાબ્દી એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6 વાગ્યે રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12675 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કોયંબટૂર કોવઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6:10 વાગ્યે રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12243 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કોયંબટૂર શતાબ્દી એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 7:15 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણ રદ્દ છે.
  • ટ્રેન નંબર 16057 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - તિરૂપતિ સપ્તગિરિ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6:25 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 22625 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કેએસઆર બેંગલુરૂ ડબલ ડેકર એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 7:25 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12639 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કેએસઆર બેંગલુરૂ વૃંદાવન સુપરફાસ્ટ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 7:40 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણ રદ્દ છે. 
  • ટ્રેન નંબર 16003 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - નાગરસોલ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 9:15 વાગ્એ રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણ રદ્દ છે. 

Tamilnadu | Train Accident | Diesel | Fire