ભરૂચ: પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી  મળી હતી

New Update
IMG-20250302-WA0014
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી  મળી હતી કે પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી હસમુખ રાઠોડ હાલ સંતોષી વસાહત ખાતે તેના ઘર પાસે જોવામાં આવ્યો છે.

જે મુજબની બાતમીના આધારે સંતોષી વસાહત ખાતેથી આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

પાકિસ્તાનના કરાચીમાં ફરી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો તેની તીવ્રતા

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

New Update
Pakistan Earthquake

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપને કારણે ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. લગભગ 15 દિવસ પહેલા કરાચીમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કરાચી હવામાનશાસ્ત્રી કેન્દ્રના મુખ્ય હવામાનશાસ્ત્રી આમિર હૈદરના જણાવ્યા અનુસારશનિવારે આવેલા આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપ જમીનની અંદર 38 કિલોમીટર ની ઊંડાઈએ કેન્દ્રિત હતો. હૈદરે કહ્યું કે શહેરના ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં આ આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે આ આંચકા લાંધી વિસ્તારમાં એક ઐતિહાસિક સિસ્મિક 'ફોલ્ટ લાઇન'માંથી સિસ્મિક ઉર્જા છોડવાના કારણે અનુભવાઈ રહ્યા છે. તેમણે કહ્યું, "જો આ ઉર્જા એકસાથે છોડવામાં આવે તો મોટો ભૂકંપ આવવાની શક્યતા છેપરંતુ શનિવારે આવું કંઈ બન્યું નથી."

અમીર હૈદરે જણાવ્યું હતું કે 1 જૂનથી કરાચીમાં ઓછામાં ઓછા 21 ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા છેજેની તીવ્રતા 2.1 થી 3.6 ની વચ્ચે રહી છે. તેમણે કહ્યું, "જેમ જેમ આ ફોલ્ટ લાઇન તેની ઉર્જા છોડશેતેમ તેમ ભૂકંપની તીવ્રતા પણ ઘટશે." હૈદરે કહ્યું કે વર્ષ 2009 માં પણ આ જ 'ફોલ્ટલાઇનસક્રિય થઈ હતીજેના કારણે શહેરમાં સતત ભૂકંપ આવતા હતાપરંતુ પછીથી તે શાંત થઈ ગયા.