Connect Gujarat
દેશ

ભોપાલ ગેસ દુર્ઘટના કેસ : SC તરફથી ભોપાલ દુર્ઘટનાના પીડિતોને આંચકો, વાંચો શું હતી માંગ..!

સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ પીડિતોને 7 હજાર 844 કરોડ રૂપિયાના વધારાના વળતરની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે.

ભોપાલ ગેસ દુર્ઘટના કેસ : SC તરફથી ભોપાલ દુર્ઘટનાના પીડિતોને આંચકો, વાંચો શું હતી માંગ..!
X

સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ પીડિતોને 7 હજાર 844 કરોડ રૂપિયાના વધારાના વળતરની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 1989માં સરકાર અને કંપની વચ્ચે વળતર અંગે સમજૂતી થઈ હતી. હવે ફરી વળતરનો ઓર્ડર આપી શકાતો નથી.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતરની રકમ વધારવાની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે વળતર પૂરતું છે. જો સરકારને વધુ વળતર જરૂરી જણાય તો તેણે પોતે જ આપવું જોઈતું હતું.

Next Story