શનિવારનો દિવસ દેશભર માટે ગોઝારો રહ્યો હતો. રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ બાદ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ ઓછામાં ઓછા 11 નવજાત બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જણાવીદઈએ કે, આ નવજાત બાળકોમાંથી 6 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5 શિશુઓ હોસ્પિટલમાં દાખલ છે.
દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે તેને રાત્રે 11.32 વાગ્યે કોલ આવ્યો હતો અને નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 11 નવજાત બાળકોને બચાવી લેવાયા છે.