દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, વિધિ વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

New Update
દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, વિધિ વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. વડાપ્રધાને સેંગોલને પ્રણામ કર્યા પછી સંસદમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્પીકર ઓમ બિરલા હાજર હતા.સેંગોલ સ્થાપન પછી, પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.

નવી સંસદ ભવનનાં ઉદઘાટન માટે હવન-પૂજન શરૂ થઈ ગયા છે. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પીકર ઓમ બિરલા હાજર છે. ચેન્નાઈથી આવેલા ધર્મપુરમ અધીનમ મઠના 21 સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું. વડાપ્રધાને સેંગોલમાં નમન કર્યા અને સંતોના આશીર્વાદ લીધા હતા.આ પછી પીએમ મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ સ્થાપિત કર્યું. આ પછી તેમણે સંસદના નિર્માણમાં યોગદાન આપનારા શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.PM મોદી સવારે 7:30 વાગ્યે સંસદ પહોંચ્યા અને પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા અને પછી પૂજામાં સામેલ થયા હતા.

Read the Next Article

હું રાજ્યસભામાં જવાનો નથી, અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ… પેટાચૂંટણીના પરિણામો પર અરવિંદ કેજરીવાલે કહ્યું

આમ આદમી પાર્ટીએ પાંચમાંથી બે બેઠકો જીતી. વિજય બાદ, પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે જનતાએ વિશ્વાસ દર્શાવ્યો છે, તેના માટે આભાર

New Update
Arvind Kejarival Press Conforence

ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. આમ આદમી પાર્ટીએ પાંચમાંથી બે બેઠકો જીતી. વિજય બાદ, પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું કે જનતાએ વિશ્વાસ દર્શાવ્યો છે, તેના માટે આભાર. અમે આ બંને બેઠકો ડબલ માર્જિનથી જીતી. આ વખતે અમારી જીતનું માર્જિન ગયા વખતની સરખામણીમાં લગભગ બમણું છે. પાર્ટીએ ગુજરાતના વિસાવદર અને પંજાબના લુધિયાણા પશ્ચિમમાંથી જીત મેળવી છે. તેમણે સંજીવ અરોરા અને ગોપાલ ઇટાલિયાને અભિનંદન આપતા કહ્યું, જનતાનો પણ આભાર.

કેજરીવાલે વધુમાં કહ્યું કે તે એક મોટી નિશાની છે કે પંજાબના લોકો અમારી સરકારથી ખુશ છે. આજે અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ. 2027 ની સેમિફાઇનલ છે. પંજાબના લોકોએ AAP સરકારને મંજૂરી આપી છે. જનતાએ અમને વિસાવદરમાં પણ સારા માર્જિનથી જીત અપાવી છે, ભાજપ ત્યાં સત્તામાં છે. ફેબ્રુઆરી 2022 માં પંજાબમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને 2022 માં ગુજરાતમાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ સત્તા, પૈસા, વહીવટ અને દરેક યુક્તિનો ઉપયોગ કરીને ચૂંટણી લડે છે. આવી સ્થિતિમાં, તેમની સામે જીતવું સરળ નથી. પરંતુ વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ડબલ માર્જિનથી વિજય દર્શાવે છે કે હવે જનતા ભાજપના 30 વર્ષના કુશાસનથી કંટાળી ગઈ છે. તેઓ હવે પરિવર્તન ઇચ્છે છે. ગુજરાત હવે પરિવર્તનના માર્ગ પર છે.

તેમણે કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસને 17 અને AAPને 5 બેઠકો મળી. ગુજરાતમાં, ભાજપ આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરી રહી છે. 2 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. એક પર ભાજપ જીત્યો અને બીજી પર આમ આદમી પાર્ટી જીત્યો. દિલ્હીમાં, કોંગ્રેસે ભાજપને મદદ કરી. વિસાવદરમાં પણ કોંગ્રેસે ભાજપને મદદ કરી. કોંગ્રેસ ભાજપની કઠપૂતળી છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે હું રાજ્યસભામાં નહીં જાઉં. તેમણે કહ્યું કે રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે કે કોણ જશે.