જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ

કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.

New Update
Artical 370

જમ્મુ અને કાશ્મીર માંથી વર્ષ પહેલા ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવામાં આવી હતી. કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. ગયા વર્ષે પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલું લેવામાં આવ્યું હતું અને જમ્મુ થી અમરનાથ ગુફામાં શ્રદ્ધાળુઓને મોકલવામાં આવ્યા ન હતા.

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ પર સાવચેતીના પગલા તરીકે અમરનાથ યાત્રીઓના કોઈ નવા જથ્થાને જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી, આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીના પવિત્ર ગુફા મંદિરની અત્યાર સુધીમાં લાખ 90 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. 
દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની 5મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. 

#Jammu and Kashmir #Connect Gujarat #જમ્મુ કશ્મીર #Artical 370 #કલમ 370
Latest Stories