/connect-gujarat/media/media_files/2025/06/02/R4dlxOblD7aLSKlg8FDA.png)
કર્ણાટકના દક્ષિણ કન્નડમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક વરિષ્ઠ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે સોમવારે RSS નેતા કલ્લાડકા પ્રભાકર ભટ વિરુદ્ધ સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવા માટે ભડકાઉ ભાષણ આપવા બદલ FIR નોંધવામાં આવી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
આરોપી પ્રભાકર ભટે ગયા મહિને 12 મેના રોજ હિન્દુ કાર્યકર્તા અને કુખ્યાત ગેંગસ્ટર શુહાસ શેટ્ટીની યાદમાં આયોજિત શોક સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેની 1 મેના રોજ મેંગલુરુમાં હત્યા કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ કાર્યક્રમ બંટવાલ ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના કવલપાદુર ગામના મદવા પેલેસ કન્વેન્શન હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભટે કાર્યક્રમમાં હાજર લગભગ 500 લોકોના મેળાવડાને સંબોધિત કર્યો હતો અને કથિત રીતે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જે જાહેર સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે અને વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ વધારી શકે છે.
પોલીસે જણાવ્યું હતું કે સંઘ નેતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉશ્કેરણીજનક ભાષણને ધ્યાનમાં રાખીને, પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 353 (2) CR નં: 60/2025 હેઠળ કેસ નોંધ્યો છે.
મહિલાઓને છરીઓ રાખવાની સલાહ આપી પહલગામ આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, 22 એપ્રિલે, RSS ના વરિષ્ઠ નેતા પ્રભાકર ભટે સૂચન કર્યું હતું કે, "હિન્દુઓએ સ્વરક્ષણ માટે ઘરમાં તલવારો અને છરીઓ રાખવા જોઈએ." 28 એપ્રિલે કેરળના કાસરગોડ જિલ્લાના મંજેશ્વરના વરકાડીમાં એક કાર્યક્રમ દરમિયાન, ભટ્ટે કહ્યું હતું કે, "દરેક હિન્દુ ઘરમાં તલવાર હોવી જોઈએ. જો પહેલગામ હુમલા દરમિયાન હિન્દુઓએ તલવારો બતાવી હોત, તો તે પૂરતું હોત."
આટલું જ નહીં, ભટ્ટે મહિલાઓને તેમની બેગમાં સામાન્ય વસ્તુઓ સાથે છરીઓ રાખવાની પણ સલાહ આપી હતી.