રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલી વાન અને ટ્રક સાથે અથડાતા 9 લોકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
BY Connect Gujarat Desk21 April 2024 3:46 AM GMT
X
Connect Gujarat Desk21 April 2024 3:46 AM GMT
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. લગ્નના સરઘસમાંથી પરત ફરી રહેલી વાન અને ટ્રક સાથે અથડાતા નવ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણને કારણે વાનના ટુકડા થઈ ગયા હતા અને ચીસાચીસ થઈ ગઈ હતી.
Next Story