બિહારમાં 5 વર્ષના ટાબરિયાએ સ્કૂલના વિદ્યાર્થી પર પિસ્ટલથી ગોળી મારી ઇજા પહોંચાડી

બિહારના સુપૌલમાં ચોંકાવનારી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ત્રિવેણી ગંજના લાલપટ્ટી સ્થિત સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં નર્સરીમાં ભણતો 5 વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો એટલું જ નહીં, 

New Update
gun shot

બિહારના સુપૌલમાં ચોંકાવનારી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ત્રિવેણી ગંજના લાલપટ્ટી સ્થિત સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં નર્સરીમાં ભણતો 5 વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો એટલું જ નહીંપ્રાર્થના શરૂ થાય એ પહેલાં તેણે ત્રીજા ધોરણમાં ભણતા 10 વર્ષના વિદ્યાર્થી આસિફ પર ગોળીબાર પણ કર્યો હતો. ડાબા હાથ પર ગોળી વાગતાં વિદ્યાર્થીને હોસ્પિટલ મોકલીને શાળા તંત્રે બંને બાળકોના પરિવારને બોલાવ્યા હતા.

5 વર્ષના બાળકએ સ્કૂલના વિદ્યાર્થી પર પિસ્ટલથી ગોળી મારી

શાળાના આચાર્ય બન્ને પરિવારો સાથે વાત કરતા હતા એટલામાં ગોળી ચલાવનારા વિદ્યાર્થીને લઈને તેના પિતા મુકેશ યાદવ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાને પગલે ઘાયલ બાળકના રોષે ભરાયેલા પરિવારજનોએ શાળામાં તોડફોડ કરી મૂકી અને ત્રિવેણીગંજ પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે આરોપી બાળક હોસ્ટેલમાં બેડ નીચે સંતાઈ ગયો હતો. વાતાવરણ શાંત થયું એટલે પોલીસ તેને લઈને  આવી હતી. જોકે પિતા હજી ફરાર છે. અત્યારે સ્થિતિ થાળે પડી છેપરંતુ એકલવ્ય ક્યાંથી પિસ્ટલ લાવ્યોશા માટે આસિફને ગોળી મારીજેવા પ્રશ્નો અનુત્તર છે. 

Read the Next Article

રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત

New Update
Indian-Railways

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.

રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.

નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.