Connect Gujarat
દેશ

ચંદ્રયાન-3 સફળ રીતે કરાયુ લોન્ચ, લગભગ 42 દિવસ બાદ ચંદ્ર પર કરશે ઉતરાણ

ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું છે તેને બાહુબલી રોકેટ LVM3-M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી અવકાશમાં મોકલવામાં આવ્યું છે.

X

ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી ભારતે શુક્રવારે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું. તેને બાહુબલી રોકેટ LVM3-M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે અવકાશમાં મોકલવામાં આવ્યું છે.

16 મિનિટ પછી ચંદ્રયાનને રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યુ હતુ. ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે.

મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.

Next Story