New Update
/connect-gujarat/media/media_files/2024/12/12/F4qtnQ3gSS5eZUUNt2X3.jpg)
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે ભારત 2035 સુધીમાં તેનું સ્પેસ સ્ટેશન બનાવશે. તેનું નામ 'ભારત સ્પેસ સ્ટેશન' રાખવામાં આવશે.
આ સાથે 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય મોકલવાની યોજના છે.દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. સિંહે જણાવ્યું કે 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં ગગનયાન મિશન હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જશે. ઉપરાંત, ભારત તેના ઊંડા સમુદ્રી મિશન હેઠળ 6,000 મીટરની ઊંડાઈ સુધી માનવોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.જીતેન્દ્ર સિંહે કહ્યું કે, સરકાર સ્પેસ સેક્ટરને મેનેજ કરવા માટે નવા કાયદા પર કામ કરી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં, પ્રાઈવેટ પ્લેયર્સએ આ ક્ષેત્રમાં સેટેલાઇટના નિર્માણ અને લોન્ચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે ઘણો સુધારો થયો છે.ડૉ. સિંહે કહ્યું કે 2014માં સ્પેસ સ્ટાર્ટ-અપની સંખ્યા માત્ર એક હતી, હવે તે વધીને 266 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતે શ્રીહરિકોટા પ્રક્ષેપણ સ્થળ પરથી અત્યાર સુધીમાં 432 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે, જેમાંથી 397 એકલા છેલ્લા 10 વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યા છે.