રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા

જસ્ટિસ ચંદ્રચૂડનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ દ્વારા તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. 

New Update
Justice Sanjeev Khanna sworn in as Chief Justice

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો.જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનું સ્થાન લેશેજેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. 

કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબરના રોજ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ભલામણ બાદ 24 ઓક્ટોબરે જસ્ટિસ ખન્નાની નિમણૂકને સત્તાવાર રીતે સૂચિત કરી હતી. શુક્રવારે જસ્ટિસ ચંદ્રચૂડનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોવકીલો અને સ્ટાફ દ્વારા તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. 

જસ્ટિસ ખન્ના,જાન્યુઆરી 2019થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે, EVMની પવિત્રતા જાળવી રાખવાચૂંટણી બોન્ડ યોજનાને રદ કરવાઆર્ટિકલ 370 નાબૂદ કરવા અને દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયોનો તેઓ ભાગ રહ્યા છે. 

Read the Next Article

રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત

New Update
Indian-Railways

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.

રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.

નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.