કૈલાશ માનસરોવર યાત્રા જૂન માસમાં શરૂ થશે, 6 વર્ષથી બંધ હતી યાત્રા

ચીનના આધિપત્યવાળા તિબેટમાં આવેલા કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. 2019થી બંધ આ યાત્રા માટે ભારતીયોનો પહેલો કાફલો જૂનના પ્રથમ સપ્તાહે રવાના થઇ શકે છે.

New Update
a

ચીનના આધિપત્યવાળા તિબેટમાં આવેલા કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. 2019થી બંધ આ યાત્રા માટે ભારતીયોનો પહેલો કાફલો જૂનના પ્રથમ સપ્તાહે રવાના થઇ શકે છે.

.ચીન સાથે સહમતિ પછી હાલમાં જ વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારની પહેલી બેઠક થઇ છે. સરકારી સૂત્રોના પ્રમાણે આ વખતે યાત્રામાં ઘણાં પરિવર્તનો જોવા મળશે. જેમ કે નવી દિલ્હીથી નીકળ્યા પછી યાત્રીઓનો પહેલો પડાવ આશરે 330 કિમી દૂર ટનકપુરમાં હશે જે પહેલાં આ પડાવ હલ્દ્વાનીમાં હતો. બીજું, નવી દિલ્હીથી લિપુલેખ પાસ સુધી વાહનોથી જશે. લિપુલેખ પાસની બીજી તરફ ચીન બૉર્ડર શરૂ થાય છે, જ્યાં પઠાર હોવાના કારણે ટુ લેન રોડ બનેલો છે, જ્યાંથી બસો કૈલાશ લઇ જશે.પિથોરાગઢના પ્રવાસન અધિકારી કીર્તિરાજ આર્યે જણાવ્યું કે અમે તૈયારી શરૂ કરી દીધી છે.

આ વખતે ધારચૂલાથી તવાઘાટ થઇને એક જ દિવસમાં લિપુલેખ પાસથી 30 કિમી પહેલાં ગંુજી ગામ પહોંચાશે. પહેલાં 8 દિવસ લાગતા હતા. હવે દિલ્હીથી શરૂ કર્યા પછી તમે ચોથા અથવા 5મા દિવસે તમે કૈલાશ ક્ષેત્રમાં હશો. તેટલો જ સમય પરત ફરવામાં લાગશે. તેનાથી 24 દિવસમાં પૂર્ણ થનારી યાત્રા 10 દિવસમાં પૂર્ણ થઇ જશે.