કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને ફરી આપ્યો ઝટકો, પંજાબમાં લોકસભાની 14 બેઠકો પર ઉમેદવારોનું એલાન

New Update
કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને ફરી આપ્યો ઝટકો, પંજાબમાં લોકસભાની 14 બેઠકો પર ઉમેદવારોનું એલાન

વિપક્ષી દળ INDIAને વધુ એક મોટો ઝટકો આપતા આમ આદમી પાર્ટી (આપ)એ શનિવારે કહ્યું કે તે એકલે હાથે પંજાબમાં લોકસભાની તમામ બેઠકો લડશે. ટૂંક સમયમાં પંજાબની તમામ 13 અને ચંદીગઢની 1 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરશે.

10-15 દિવસમાં" નામો જાહેર કરવામાં આવશે. એક રેલીમાં બોલતા કેજરીવાલે કહ્યું, "લોકસભાની ચૂંટણી માટે, પંજાબમાં 13 બેઠકો છે અને ચંદીગઢની એક - કુલ 14 બેઠકો છે. આગામી 10-15 દિવસમાં આપ આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરશે. તમારે (સમર્થકોએ) 'આપ'ને આ તમામ 14 બેઠકો પર બહુમતી સાથે સ્વીપ કરાવવી પડશે. પંજાબના મુખ્ય પ્રધાન અને આપના નેતા ભગવંત માન દ્વારા રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણને નકારી કાઢ્યાના અઠવાડિયા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસની આગેવાનીમાં રચાયેલા ઈન્ડીયા ગઠબંધનમાં 28 પાર્ટીઓ હતી પરંતુ તેમાંથી ચાર મોટી પાર્ટીઓ બહાર નીકળી ગઈ છે જેમાં મમતાની ટીએમસી, કેજરીવાલની આપ, નીતિશ કુમારની જેડીયુ અને જયંત ચોધરીની આરએલડી સામેલ છે. આપનો આ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના આવા જ પગલાની રાહ પર આવ્યો છે, જેમણે લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાના પક્ષના નિર્ણયની જાહેરાત કરી હતી.

Read the Next Article

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વાની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા, 4 ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી. અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં

New Update
PAKISTAN

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી.

અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારના ઓછામાં ઓછા 18 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે. બચાવ કામગીરી અધિકારીઓએ આ માહિતી આપી હતી.

'રેસ્ક્યૂ-1122' ના ડિરેક્ટર જનરલ શાહ ફહાદને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "પાંચ અલગ અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે અને 'રેસ્ક્યૂ 1122' ના 80 કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ છે." પ્રારંભિક માહિતી અનુસાર, આ પરિવાર પ્રવાસીઓના એક જૂથનો ભાગ હતો જે આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા હતા અને ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી જતાં નદીમાં ફસાઈ ગયા હતા. સ્વાત નદી અહીં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તરીય ક્ષેત્રમાં વહે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટા પાયે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે.