Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશ : દતિયામાં અંગત અદાવતે ગોળીબાર, 5 લોકોના મોત, જ્યારે 6 લોકો ઘાયલ

દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.

મધ્યપ્રદેશ : દતિયામાં અંગત અદાવતે ગોળીબાર, 5 લોકોના મોત, જ્યારે 6 લોકો ઘાયલ
X

મધ્યપ્રદેશના દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશ રાજ્યના દતિયા તાલુકામાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારના રેંડા ગામમાં દુશ્મનાવટના કારણે ગોળીબારની મોટી ઘટના સામે આવી છે. આ ગંભીર દુર્ઘટના 5 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનો આ વિધાનસભા મત વિસ્તાર છે. જેમાં 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બુધવારે સવારે ખેતરમાંથી ઢોરને ભગાડવા બાબતે 2 પક્ષો સામસામે આવી ગયા હતા, અને આ અંગત અદાવત હત્યાની ઘટનામાં પરિણમી હતી.

Next Story