મધ્યપ્રદેશના ઈન્દોરમાં જલકાંડથી હાહાકાર,15થી વધુના મોત, અસરગ્રસ્ત 3000 લોકો હોસ્પિટલમાં, 34 આઈસીયુમાં સારવાર હેઠળ

ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે 15થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડયા......

New Update
indore

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે 15થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડયા છેજેમાંથી 34ને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. ભગીરથપુરામાં 'ઝેરીપાણી પીવાથી ઝાડા-ઉલ્ટીના નવા 338 કેસ નોંધાયા છે.

'ઝેરીપાણી પીવાથી શુક્રવારે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. દૂષિત પાણી પીવાથી લોકોના મોત થતા અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. બીજી બાજુ આ રોગચાળાનું કારણ પીવાનું દુષિત પાણી હોવાનું લેબ ટેસ્ટમાં પુરવાર થતાં રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે.

દેશમાં આઠ વર્ષથી ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતનારા મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઈન્દોરના ભગીરથપુરામાં છેલ્લા આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી નાગરિકો માટે જીવલેણ સાબિત થયું છે. ટોઈલેટવાળું 'ઝેરીપાણી પીવાથી શુક્રવારે વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધ મહિલાને શહેરની અરવિંદો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ આપદાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

રાજ્ય સરકારે સ્થિતિની સમીક્ષા કરી લોકોને પીવાનું પાણી પૂરું પાડવા પાણીના ટેન્કરો મોકલ્યા હતા. જોકેલોકો એટલા ગભરાયેલા છે કે પાણી પીવાથી પણ ડરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કેઆ સ્થિતિનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય વિભાગે 21 ટીમ બનાવી છેજેમાં ડોક્ટરપેરામેડિકલએએનએમ અને આશા કાર્યકરોનો સમાવેશ કરાયો છે. તેઓ લોકોને ઘરે ઘરે જઈને પીવાનું પાણી ઉકાળીને પીવાબહારનું ભોજન નહીં ખાવા માટે સમજાવી રહ્યા છે.

Latest Stories