Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: કોલ્હાપુરમાં ધરતી ધ્રૂજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.!

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

મહારાષ્ટ્ર: કોલ્હાપુરમાં ધરતી ધ્રૂજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.!
X

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બુધવારે સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બુધવારે સવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં 3.4ની તીવ્રતાનો મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસે જણાવ્યું હતું કે ભારતીય માનક સમય (IST) 06:45 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 5 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. કોલ્હાપુર પશ્ચિમ મહારાષ્ટ્રમાં મુંબઈથી લગભગ 375 કિમી દૂર છે.

Next Story