/connect-gujarat/media/media_files/2025/05/18/7kuvmevvDac5chikJoOM.jpg)
મુંબઇ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં ભારે તોફાની પલટો આવે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના મોટાભાગમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયું છે.
હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૮થી ૨૧-મે) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના ૩૫ જિલ્લામાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવનસાથે હળવી-મધ્યમ વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
હવામાનમાં થઇ રહેલા પરિવર્તને ધ્યાનમાં રાખીને રાજ્યના કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા,વિદર્ભના કુલ ૩૫ જિલ્લામાં યલો -- ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.
સાથોસાથ નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રની તમામ જિલ્લા કલેક્ટર ઓફિસ દ્વારા પણ જરૃરી બધી વ્યવસ્થા અને તાકીદની પરિસ્થિતિ માટે સંપર્ક કરવા ટેલિફોન નંબરોની યાદી પણ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે એવો સંકેત આપ્યો છે કે આવતા ચાર દિવસ (૧૮ થી ૨૧,-મે ) દરમિયાન મુંબઇમાં મેઘગર્જના, તીવ્ર પવન સાથે વરસાદી માહોલ(યલો --ગ્રીન એલર્ટ) સર્જાય તેવી શક્યતા છે.
સાથોસાથ કોંકણ(થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરિ,સિંધુદુર્ગ: યલો એલર્ટ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,ધુળે, જળગાંવ,નંદુરબાર,અહિલ્યાનગર,પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર(યલો :ઓરેન્જ એલર્ટ), મરાઠવાડા(છત્રપતિ સંભાજીનગર, જાલના,પરભણી, હિંગોળી, નાંદેડ, લાતુર,ધારાશિવ(યલો અલર્ટ), વિદર્ભ(અકોલા, અમરાવતી, ચંદ્રપુર, ભંડારા, ગઢચિરોળી,ગોંદિયા, નાગપુર,વર્ધા,વાશીમ,યવતમાળ(યલો એલર્ટ) માં મેઘગર્જના, તોફાની પવન(૪૦-૫૦ કિ.મી.: પ્રતિકલાક) સાથે વરસાદી વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારે એવી માહિતી આપી છે કે હાલ અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વં તથા પૂર્વ-મધ્ય હિસ્સા ઉપર, ગુજરાત અને ઉત્તર કોંકણના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે.
સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાય. સાથોસાથ આકાશમાં પવન એક ચોક્કસ હિસ્સાના કેન્દ્ર ભણી ફૂંકાય. ઉપરાંત, પવન પૃથ્વીના ઉત્તર ધુ્રવ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની જેમ ફૂંકાય, જ્યારે દક્ષિણ ધુ્રવ પર ઘડિયાળના કાંટાની સવળી દિશાની જેમ ફૂંકાય.આવા પરિબળને કારણે આકાશ વાદળિયું બની જાય.સાથોસાથ ગાજવીજ અને વરસાદી વાતાવરણ પણ સર્જાય.