/connect-gujarat/media/media_files/2025/02/09/exHYGByDYNKmcxgwnZFJ.jpg)
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળ્યા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. મણિપુર વિધાનસભાનું સત્ર આવતીકાલે એટલે કે 10 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાનું હતું. વિપક્ષ મણિપુર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે એન બિરેન સિંહને બે વર્ષ પહેલા બરતરફ કરી દેવા જોઈતા હતા. કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું, "દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મણિપુરના ધારાસભ્યોનો અંતરાત્મા જાગી ગયો છે. તેઓએ મજબૂરીમાં રાજીનામું આપ્યું છે."
એન બિરેન સિંહે આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જે બાદ સાંજે તેમણે રાજીનામું આપી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ વિધાયક દળની બેઠક થશે, જેમાં પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કર્યા બાદ નવા નેતાની પસંદગી કરવામાં આવશે. ગયા વર્ષના અંતમાં મુખ્યમંત્રી બિરેન સિંહે મણિપુરમાં થયેલી હિંસા અંગે જનતાની માફી માંગી હતી.