મણિપુરમાં વધુ એક ચકચારી બનાવ, 2 યુવતીઓ પર ગેંગરેપ કરી બંનેની હત્યા કરવામાં આવી…

New Update
મણિપુરમાં વધુ એક ચકચારી બનાવ, 2 યુવતીઓ પર ગેંગરેપ કરી બંનેની હત્યા કરવામાં આવી…

મણિપુરમાં 4 મેના રોજ ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. તે જ દિવસે અન્ય બે છોકરીઓ પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. 

આ ઘટના અન્ય ઘટના સ્થળથી 40 કિમી દૂર કાંગપોકપી જિલ્લાના કોનુંગ મામંગ વિસ્તારમાં બની હતી. પીડિતો સાથે કામ કરનાર એક વ્યક્તિએ જણાવ્યું કે એક છોકરી 21 વર્ષની અને બીજી 24 વર્ષની હતી. બંને ગેરેજમાં કામ કરતી હતી. તે દિવસે મહિલાઓ પણ ભીડમાં આવી હતી.

મહિલાઓએ જ ભીડમાં હાજર પુરુષોને તેમની સાથે દુષ્કર્મ કરવા કહ્યું હતું. આ પછી તેઓ છોકરીઓને રૂમમાં લઈ ગયા. લાઈટ બંધ કરી. તેમના મોં પર કપડું બાંધેલું હતું. દોઢ કલાક બાદ તેને ખેંચીને બહાર કાઢવામાં લાવી હતી. તેના શરીર પર કપડાં નહોતાં. યુવતીઓ લોહીથી લથપથ હતી. તેના વાળ પણ કપાયા હતા. 

બંને છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને બાદમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 100-200 લોકો હાજર હોવાનો ઉલ્લેખ છે. આ કેસ હવે પોરોમપાટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસને હજુ સુધી પીડિતોના મૃતદેહ મળ્યા નથી.

Read the Next Article

મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.