Connect Gujarat
દેશ

નવા ભારતની અંતરીક્ષમાં મોટી છલાંગ, ISRO દ્વારા નેવિગેશન ઉપગ્રહ લોન્ચ કરાયો

ISROએ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો છે. વાત જાણે એમ છે

નવા ભારતની અંતરીક્ષમાં મોટી છલાંગ, ISRO દ્વારા નેવિગેશન ઉપગ્રહ લોન્ચ કરાયો
X

ISROએ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો છે. વાત જાણે એમ છે કે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને 29 મે 2023ના રોજ સવારે 10:42 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટથી નવા-યુગના નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહનું નામ NVS-01 છે, જેને GSLV-F12 રોકેટ દ્વારા લોન્ચ પેડ-2 પરથી છોડવામાં આવ્યો હતો. ઈસરોના વડા ડો.એસ.સોમનાથે જણાવ્યું કે, હાલમાં અમે સાત જૂના NavIC ઉપગ્રહોની મદદથી કામ કરી રહ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 4 જ કામ કરી રહ્યા છે. ત્રણ ખરાબ થઈ ગયા છે. જો આપણે ત્રણેયને બદલીશું તો ત્યાં સુધીમાં આ ચાર પણ નકામા થઈ જશે. તેથી જ અમે પાંચ નેક્સ્ટ જનરેશન નાવિક સેટેલાઇટ NVS છોડવાની તૈયારી કરી છે. મહત્વનું છે કે, NVS-01 ઉપગ્રહને 36,568 કિમીની ઊંચાઈએ પૃથ્વીની જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ ઉપગ્રહ લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. પ્રક્ષેપણ પછી લગભગ 18 મિનિટમાં GSLV રોકેટ પૃથ્વીથી 251.52 કિમી ઉપર ઉપગ્રહ છોડશે. આ પછી તે પોતાની જાતે જ પોતાના ક્લાસમાં જશે. તેના થ્રસ્ટર્સને કારણે તે નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી જશે.

Next Story