Connect Gujarat
દેશ

સંસદ પર હુમલો “2001” : PM મોદી સહિતના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

સંસદ પર આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે પીએમ મોદી જગદીપ ધનખડ સહિત અનેક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

સંસદ પર હુમલો “2001” : PM મોદી સહિતના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...
X

સંસદ પર આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે પીએમ મોદી જગદીપ ધનખડ સહિત અનેક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને મળ્યા અને તેમની ખબર-અંતર પૂછ્યું અને તેમને સાંત્વના આપી. આતંકવાદી હુમલામાં દેશના 9 બહાદુર જવાનો શહીદ થયા હતા.

વર્ષ 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 22મી વર્ષગાંઠ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 9 બહાદુર જવાનો શહીદ થયા હતા. હુમલાને અંજામ આપનારા તમામ પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદી હુમલાની વરસી પર દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પીએમ મોદી, લોકસભા સાંસદ ઓમ બિરલા, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે અને ઘણા સાંસદોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે શહીદોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને મળ્યા અને તેમના ખબર-અંતર પૂછી સાંત્વના આપી હતી. સંસદ હુમલાની વર્ષગાંઠ પર બોલતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, "2001ના આતંકવાદી હુમલામાં પોતાનો જીવ બલિદાન આપનારા બહાદુર સુરક્ષા જવાનોનો રાષ્ટ્ર હંમેશા ઋણી રહેશે."

Next Story